ભારતીય રેલ મુસાફરો માટે ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે, જેથી લોકોની મુસાફરી આરામદાયક બને. તહેવારો અને ઉનાળા દરમિયાન સ્પેશિયલ ટ્રેન દોડાવીને મુસાફરોને રાહત આપવામાં આવે છે. તેમજ ટિકિટ બુકિંગ અને અન્ય સુવિધાઓ સમયાંતરે આપવામાં આવે છે. રેલવેની અનેક સુવિધાઓથી મુસાફરો વાકેફ નથી. આજે અમે એવી જ એક સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારે રેલ્વે સ્ટેશન પર જ રોકાવું હોય તો તમને સ્ટેશન પર જ રૂમ મળી જશે. તમારે કોઈ હોટેલ કે ક્યાંય જવાની જરૂર નથી. આ રૂમ ખૂબ જ ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે. ચાલો તમને જણાવીએ કે કેટલા રૂપિયામાં ,અને કઇ રીતે તમે ટિકિટ બુક કરાવી શકો છો.
હોટેલ જેવો રૂમ માત્ર 100 રૂપિયામાં બુક થશે ?
રેલવે સ્ટેશન પર મુસાફરોને રહેવા માટે હોટલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક એસી રૂમ હશે અને તેમાં સૂવા માટે બેડ અને રૂમની તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ હશે. રાતોરાત રૂમ બુક કરાવવા માટે તમારે 100 રૂપિયાથી 700 રૂપિયા ચૂકવવા પડી શકે છે.
બુકિંગ કેવી રીતે કરવું ?
સૌથી પહેલા તમારું IRCTC એકાઉન્ટ ખોલો
હવે લોગિન કરો અને માય બુકિંગ પર જાઓ
તમારી ટિકિટ બુકિંગના તળિયે રિટાયરિંગ રૂમનો વિકલ્પ દેખાશે
અહીં ક્લિક કર્યા પછી તમને રૂમ બુક કરવાનો વિકલ્પ દેખાશે
PNR નંબર દાખલ કરવાની જરૂર નથી
પરંતુ કેટલીક અંગત માહિતી અને મુસાફરીની માહિતી ભરવાની રહેશે
હવે પેમેન્ટ કર્યા બાદ તમારો રૂમ બુક થઈ જશે
નોંધપાત્ર વાત એ છે કે, રેલવે હાલમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. દિલ્હી-બિહાર રૂટ સિવાય પણ ઘણી જગ્યાએ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે. તે જ સમયે, 18 સમર સ્પેશિયલ ટ્રેનોનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે.