Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: મવડી વિસ્તારમાં કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ, જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા

Rajkot: રાજકોટના મવડી મેઇન રોડ પાસે આવેલા મવડી વિસ્તારમા એકાએક કારમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાઓ છે કે,જૂની અદાવતને કારણે કોઈએ જાણીજોઈને કારમાં આગ લગાવી દીધી છે. આ મામલો પોલીસે તપાસ હાથ ધરી છે.
rajkot  મવડી વિસ્તારમાં કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ  જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા
Advertisement
  • રાજકોટના મવડી વિસ્તારમાં કારમાં અચાનક લાગી આગ
  • કોઈએ કારમાં આગ લગાડી હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા
  • જૂની અદાવતના કારણે કારમાં આગ લગાવી હોવાની ચર્ચાઓ
  • સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી
  • સમગ્ર મામલે માલવિયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી

Rajkot: રાજકોટના મવડી મેઇન રોડ પાસે આવેલા મવડી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક લોકોમાં જૂની અદાવતને કારણે કોઈએ જાણીજોઈને કારમાં આગ લગાવી હોવાની ચર્ચા જોર પકડી રહી છે.

રાજકોટ મવડી વિસ્તારમાં કારમાં અચાનક આગ

મળતી માહિતી મુજબ ગત રાત્રે અચાનક કારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો અને થોડી જ વારમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનાના દ્શ્યો મોબાઈલમાં કેદ થતાં વાયરલ થયા છે. આ ઘટનાને જોતા આસપાસના રહેવાસીઓ તુરંત દોડી આવ્યા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે.

Advertisement

Rajkot-fire-Gujarat first

Advertisement

જૂની અદાવત ના કારણે કારમાં કોઈએ આગ લગાવી હોવાની ચર્ચાઓ

સ્થાનિક લોકોમાં ચર્ચાઓછે કે, આ આગ જાણીજોઈને લગાવવામાં આવી છે. જૂની અદાવત ના કારણે કોઈએ કારમાં આગ લગાવી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.

Rajkot- fire- Gujarat first

માલવિયા નગર પોલીસે હાથ ધરી તપાસ

આ ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કારની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે આસપાસના લોકોના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ હકીહકત સામે આવશે.

અહેવાલ: ગૌતમ ભેડા

આ પણ વાંચો: Mehsana | ચાંદનીએ 15થી વધુ યુવકો સાથે કર્યા હતા લગ્ન..!

Tags :
Advertisement

.

×