સમગ્ર દેશ 14 એપ્રિલ એટલે કે, આંબેડકર જયંતિની ઉજવણી કરી રહ્યો છે. જેને લઈને, ગુજરાતમાં પણ આ વર્ષે ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રાજ્યની રાજધાની ગાંધીનગરમાં અત્યાર સુધીની સૌથી મોટી એટલે કે, ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સ્વયં સૈનિક દળ દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં આ કાર્યક્રમ દરમિયાન, લગભગ 1 લાખ લોકો હાજર રહેશે અને ગાંધીનગર ખાતે બાબા સાહેબને સલામી આપશે. આ સાથે બાબા સાહેબ દ્વારા આપવામાં આવેલી 22 પતિજ્ઞાનું પઠન કરવામાં આવશે.
સ્વયં સૈનિક દળ (SSD) નામના સંગઠન દ્વારા કરાયું આયોજન
આ કાર્યક્રમનું આયોજન સ્વયં સૈનિક દળ (SSD) નામના સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે આ અવસર પર મહારેલી અને મહાસભાનું આયોજન કરશે. ગાંધીનગર રામકથા મેદાનમાં આ આયોજનમાં ગુજરાત વિવિધ ગામડાઓ, તાલુકા તથા શહેરમાંથી 1 લાખ જેટલા લોકો ભાગ લેશે. સ્વયં સૈનિક દળ ( SSD)ના તમામ કાર્યકર્તાઓ પોતાના ડ્રેસમાં હાજર રહી બાબાસાહેબ આંબેડકર દ્વારા બતાવવામાં આવેલી 22 પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનો સંકલ્પ લેશે. આ બાદ, બાબા સાહેબની પ્રતિમાને સલામી પણ આપશે. સંગઠન દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું કે, આ સંગઠનમાં એક પણ હોદ્દેદાર નથી, આ સાથે જ જેટલી પુરૂષોની સંખ્યા હશે તેટલી જ મહિલાઓની પણ ભાગીદારી આ કાર્યક્રમમાં જોવા મળશે.
આપણ વાંચો- બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે કરાશે અનાવરણ