Maharashtra : અણુશક્તિનગરમાં પતિ ફહાદ અહેમદની હાર થતાં સ્વરા ભાસ્કર ગુસ્સામાં
- મહારાષ્ટ્રની અણુશક્તિ નગર વિધાનસભા બેઠક પર સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદની હાર
- ફહાદ અહેમદની હાર થતાં અભિનેત્રી સ્વરા ભાસ્કરનું રિએક્શન
- સ્વરા ભાસ્કરે હાર માટે ઈવીએમને જવાબદાર ઠેરવ્યા
Maharashtra Results : મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો માટે મતગણતરી (Maharashtra Results) ચાલી રહી છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદે મહારાષ્ટ્રની અણુશક્તિ નગર વિધાનસભા બેઠક પરથી NCP (શરદ પવાર)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ તેમના NCP (અજિત પવાર) ઉમેદવાર અને નવાબ મલિકની પુત્રી સના મલિક સામે હારી ગયા હતા.
સ્વરા ભાસ્કરે હાર માટે ઈવીએમને જવાબદાર ઠેરવ્યા
પતિ ફહાદ અહેમદની હાર થતાં જ અભિનેત્રી સ્વરા ભાસ્કરે હાર માટે ઈવીએમને જવાબદાર ઠેરવ્યા હતા. ઈવીએમ પર સવાલ ઉઠાવતા સ્વરા ભાસ્કરે લખ્યું કે, આખો દિવસ વોટિંગ હોવા છતાં ઈવીએમ મશીન 99 ટકા ચાર્જ કેવી રીતે થઈ શકે? ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. અણુશક્તિ નગર વિધાનસભામાં 99 ટકા ચાર્જ મશીન ખુલતાની સાથે જ ભાજપના સહયોગી NCPને વોટ મળવા લાગ્યા, આ કેવી રીતે?
અજિત પવારે એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની પુત્રી સના મલિકને ટિકિટ આપી હતી
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદે એનસીપી (શરદ પવાર) તરફથી અનુશક્તિ નગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. ફહાદની સામે અજિત પવારે એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની પુત્રી સના મલિકને ટિકિટ આપી હતી.
સના મલિકે છેલ્લા રાઉન્ડમાં 3378 મતોથી જીત મેળવી
અણુશક્તિ નગર બેઠક પર તમામ 19 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સના મલિક જીત્યા અને સ્વરા ભાસ્કરના પતિ 3378 મતોથી હારી ગયા છે. ફહાદ શરૂઆતના ટ્રેન્ડમાં આગળ હતા. ત્યારબાદ સના મલિક ફહાદને પાછળ છોડીને આગળ વધી હતી. આવું બે-ત્રણ વાર બન્યું. સના મલિકે છેલ્લા રાઉન્ડમાં 3378 મતોથી જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં અણુશક્તિ નગર સીટ પર 54 ટકાથી વધુ મતદાન થયું છે, જે ગત વિધાનસભા ચૂંટણી કરતાં ઓછું છે. 2019ની વિધાનસભામાં અહીં 55.27 ટકા મતદાન થયું હતું.
In #AnushaktiNagar vidhaan sabha after a steady lead by @FahadZirarAhmad of NCP-SP.. round 17, 18, 19 suddenly 99% battery charger EVMs are opened and BJP supported NCP-Ajit Pawar candidate takes lead. How can machines that have been voted on ALL day long have 99% charged… https://t.co/GknxDWOb5v
— Swara Bhasker (@ReallySwara) November 23, 2024
આ પણ વાંચો----Maharashtraમાં ચાલી ગયો 'બટેંગે તો કટેંગે' નો નારો
આ બેઠક રાજકીય દ્રષ્ટિકોણથી મહત્વની છે
અણુશક્તિ નગર વિધાનસભા સીટ નવાબ મલિકનો ગઢ માનવામાં આવે છે. તેઓ અહીંથી ઘણી વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. નવાબ મલિક મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં ગયા હતા. છૂટા થયા બાદ તે NCP અજિત પવારના જૂથમાં જોડાયા. શરૂઆતમાં અજિત પવાર નવાબ મલિકને ટિકિટ આપવા ઇચ્છતા હતા, પરંતુ એનસીપી-અજિતના સાથી પક્ષ ભાજપના વિરોધ બાદ તેમણે આ બેઠક પરથી નવાબ મલિકની પુત્રીને ટિકિટ આપી હતી.
ફહાદ સપા છોડીને NCP-શરદ પવારમાં જોડાયા
સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ પહેલા સમાજવાદી પાર્ટીમાં હતા. જ્યારે સપાને ભારતમાં વધુ બેઠકો ન મળી, ત્યારે ફહાદે એનસીપી-શરદ પવારની ટિકિટ પર અણુશક્તિ નગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી. આ પછી આ સીટ ચર્ચામાં આવી. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ બેઠક સ્વરાના ભાષણના કારણે ચર્ચામાં રહી હતી.
ફહાદે સના મલિક પર ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો
જ્યાં સ્વરાના પતિ ફહાદે સના મલિક પર ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સના નવાબ મલિકની પુત્રી છે, આ તેમની એકમાત્ર ઉપલબ્ધિ છે અને તેથી જ તેમને ટિકિટ મળી છે. સના મલિકે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે અભિનેત્રીનો પતિ બનવા કરતાં નેતાની પુત્રી બનવું વધુ સારું છે.
આ પણ વાંચો----Maharashtraમાં 2 પાર્ટી તૂટી પણ સૌથી વધુ નુકશાન થયું કોંગ્રેસને...


