Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ મામલો, આણંદના ઉમરેઠ, વાસદના લોકો પણ પ્લેનમાં હતા સવાર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 યાત્રીઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્લાનમાં આણંદના ઉમરેઠ, વાસદના પણ કેટલાક લોકો મૃત્યુ પામ્યાના સમાચાર મળી રહ્યા છે.
ahmedabad plane crash    એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ મામલો  આણંદના ઉમરેઠ  વાસદના લોકો પણ પ્લેનમાં હતા સવાર
Advertisement
  • અમદાવાદ એર ઇન્ડિયા ની ફ્લાઇટ ક્રેસ મામલો
  • આણંદ ના ઉમરેઠ ના મહિલા પેસેન્જર પણ હતા સવાર
  • સલમા બેન રઝાકભાઈ વહોરા જઈ રહ્યા હતા લંડન

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 242 યાત્રીઓના કરૂણ મોતની આશંકા છે. વિનાશક દુર્ઘટનામાં એક પણ યાત્રીની સંભાવના નહીવત છે. પ્લેન ક્રેશને લીધે સ્થળ પર ઈજાગ્રસ્ત થયેલા લોકો હાલ સારવાર હેઠળ છે. જે ઘટના સ્થળે પ્લેન ક્રેશ થયું ત્યાં અનેક નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. વિમાનમાં આગ લાગ્યાની જાણ થતા વડોદરાથી 25 ફાયર ફાયટર અને 200 કર્મચરીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ થતાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ થઈ તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિમ સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં 217 મુસાફરો પુખ્ત વયના, 11 બાળકો, 2 નવજાત શિશુ હતા. જ્યારે 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા.

Advertisement

આણંદ ના ઉમરેઠ ના મહિલા પેસેન્જર પણ હતા સવાર

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની ઘટનામાં આણંદના કેટલાક લોકો હોવાનું સામે આવ્યું છે. આણંદના ઉમરેઠના મહિલા પેસેન્જર પણ પ્લેનમાં સવાર હોવાનું સામે આવવા પામ્યું છે. સલમાબેન રઝાકભાઈ વહોરા લંડન જઈ રહ્યા હતા. પોતાની દીકરીને ડિલીવર માટે લંડન લઈ જઈ રહ્યા હતા. ઘટનાને પગલે પરિવારમાં ચિંતામો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

Advertisement

વાસદ ના ત્રણ લોકો હતા પ્લેન માં સવાર

વાસદના પણ ત્રણ લોકો પ્લેનમાં સવાર હોવાનું સામે આવવા પામ્યું છે. ક્રિષ્ના રિવરસાઈડના માલિક રજનીકાંત પટેલનો પરિવાર ફ્લાઈટમાં સવાર હોવાનું સામે આવ્યું છે. જેમં રજનીકાંત માહિજીભાઈ પટેલ, દિવ્યા રજનીકાંત પટેલ, હેમાંગીબેન અરૂણભાઈ પટેલ પણ પ્લેનમાં સવાર હતા.

આ પણ વાંચોઃ Vijay Rupani passes away : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીનું અવસાન, જાણો તેમની રાજકીય કારકિર્દી

વાસદના આશાસ્પદ યુવાનનો ફોટો આવ્યો સામે

વાસદથી પરિવાર અમદાવાદ જવા રવાના થયો છે. ફ્લાઈટમાં તારાપુરનો આશાસ્પદ યુવાન પણ સવાર હતો. પાર્થ શર્મા નામનો યુવાન સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન જઈ રહ્યો હતો. પાર્થ શર્માનો એરપોર્ટ બહારનો ફોટો સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ Air India Plane Crash: MAYDAY... MAYDAY... MAYDAY, ક્રેશ પહેલા પાયલોટે સિગ્નલ આપ્યો હતો પણ...

Tags :
Advertisement

.

×