કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે; AAPનો સનસનાટીભર્યો આરોપ
- AAPએ કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા
- કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે
- AAPની ચૂંટણી પંચને પત્ર લખીને કેજરીવાલની સુરક્ષા પુનઃસ્થાપિત કરવાની માંગ
Delhi Assembly Election 2025: આમ આદમી પાર્ટી (AAP) એ શુક્રવારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની "હત્યા"નું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો અને ચૂંટણી પંચને પંજાબ પોલીસ દ્વારા તેમને આપવામાં આવેલી સુરક્ષા પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી, જે પાછી ખેંચી લેવામાં આવી છે. આ આરોપ પર ભાજપ કે દિલ્હી પોલીસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.
સીએમ આતિશી અને ભગવંત માને ગંભીર આરોપો લગાવ્યા
અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા, દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી અને પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે, તેઓએ પંચને પત્ર લખીને 5 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં "સમાન તક"ની માંગણી કરી છે, તેમણે AAP માટે "સમાન તક", પંજાબ પોલીસ દ્વારા કેજરીવાલને આપવામાં આવેલી સુરક્ષા પુનઃસ્થાપિત કરવા અને તેમના પર થયેલા "જાનલેવા" હુમલાઓની તપાસની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર હેઠળ આવતી દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ મુજબ કેજરીવાલ પરના કથિત હુમલાઓ પ્રત્યે આંખ આડા કાન કર્યા છે.
#WATCH | Delhi CM Atishi says, "...There are two players behind this conspiracy - one is workers of BJP who attack Arvind Kejriwal and pelt stones on him in different parts of Delhi, the second player is Delhi Police that comes under BJP & Amit Shah. With the collusion of BJP and… https://t.co/XWu9fESaox pic.twitter.com/1zuYL7KWFO
— ANI (@ANI) January 24, 2025
આ પણ વાંચો : બજેટ 2025 પહેલા નિર્મલા સીતારમણે હલવા સમારોહની ઉજવણી કરી
કેજરીવાલ પર ઓક્ટોબરમાં હુમલો થયો હતો
આતિશીએ આરોપ લગાવ્યો, "કેજરીવાલજીની હત્યાના આ કાવતરામાં બે લોકો સામેલ છે - ભાજપ અને દિલ્હી પોલીસ. આ બંને કેજરીવાલનો જીવ લેવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમના પર એક પછી એક હુમલો કરવાના પ્રયાસો થયા છે." "કેજરીવાલ પર ઓક્ટોબરમાં હુમલો થયો હતો. (ગયા વર્ષે). તપાસમાં બહાર આવ્યું કે, હુમલાખોરો ભાજપના કાર્યકરો હતા, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
કેજરીવાલની સુરક્ષા પુનઃસ્થાપિત કરવાની માંગ
તેમણે કહ્યું, "અમે ચૂંટણી પંચને પત્ર લખીને કેજરીવાલની સુરક્ષા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. અમને દિલ્હી પોલીસ પર વિશ્વાસ નથી કારણ કે, તે અમિત શાહના નિયંત્રણમાં છે." AAP નેતાઓએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી ચૂંટણી પહેલા "ગંદી રાજનીતિ" રમીને કેજરીવાલની સુરક્ષા દૂર કરવાનું કાવતરું ઘડ્યું છે.
આ પણ વાંચો : JPC કેવી રીતે આપે છે રિપોર્ટને મંજૂરી, નિયમો અને પ્રક્રિયાઓ શું છે?


