Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cyclone Biporjoy : લેન્ડફોલ બાદ આ પડકારોનો સામનો કરવો પડશે

કચ્છના કિનારે બિપોરજોય ત્રાટકી ચુક્યુ છે. ભારે પવન સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો તરફ તોફાન આગળ વધ્યું અને મોડી રાત સુધી ચાલતી લેન્ડફોલની પ્રક્રિયામાં અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ તુટ્યાના અહેવાલો સામે આવ્યા છે. એક તરફ લેન્ડફોલ દરમિયાન થનારા નુકસાનથી તંત્ર...
cyclone biporjoy   લેન્ડફોલ બાદ આ પડકારોનો સામનો કરવો પડશે
Advertisement

કચ્છના કિનારે બિપોરજોય ત્રાટકી ચુક્યુ છે. ભારે પવન સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો તરફ તોફાન આગળ વધ્યું અને મોડી રાત સુધી ચાલતી લેન્ડફોલની પ્રક્રિયામાં અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ તુટ્યાના અહેવાલો સામે આવ્યા છે. એક તરફ લેન્ડફોલ દરમિયાન થનારા નુકસાનથી તંત્ર ચિંતામાં છે તો બીજી તરફ બિપરજોયના આફ્ટર ઈફેક્ટને લઈને પણ ટેન્શન છે.

તોફાન પછી અનેક પડકાર

Advertisement

ચક્રવાતની સાથે સાથે તે પછી પણ તંત્ર સામે અનેક પડકારો છે. વરસાદા કારણે વીજ પુરવઠો ખોરવાઈ શકે છે એટલે કે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં અનેક લોકોએ વિજળી વિના રહેવું પડી શકે છે. જ્યારે જે લોકોના ઘર તુટી ગયા છે તેમણે હંગામી રહેઠાણ અને નવા રહેઠાણની વ્યવસ્થા કરવી પડશે અને સરકાર દ્વારા તૈયાર કરાયેલા શેલ્ટર હોમમાં જ રહેવું પડશે. તેમજ વાવાઝોડાથી થયેલા નુકસાનનું અનુમાન લગાવવામાં પણ સમય લાગી શકે છે. વાવાઝોડાની આફ્ટર ઈફેક્ટથી રાજ્યને ખાસ અસર પડશે.

Advertisement

સૌથી લાંબુ ચાલતું તોફાન બિપરજોય

જણાવી દઈએ કે, અરબી સમુદ્રમાં 6 જૂનના વહેલી સવારે બિપરજોય ચક્રવાત સર્જાયું હતું. બિપરજોય અરબી સમુદ્રમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ ચાલતું તોફાન છે. આ દરમિયાન ઘણી વખત તોફાનની પેટર્નમાં વિચિત્ર ફેરફારો જોવા મળ્યા હતા. 6 અને 7 જૂને વાવાઝોડાની ઝડપ 55 કિમી પ્રતિ કલાકની ઝડપે 139 કિમી પ્રતિ કલાકે પહોંચી હતી જ્યારે 9 અને 10 જૂને તોફાની પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાકથી વધીને 196 કિમી પ્રતિ કલાક થઈ હતી.

અરબી સમુદ્રમાં સાયક્લોન વધ્યા

અરબી સમુદ્રમાં સાયક્લોનિક વાવાઝોડાના કારણે હવે પહેલા કરતા વધુ વાવાઝોડું આવી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આવું બન્યું છે. જૂનની શરૂઆતમાં જ, અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે પહોંચી ગયું હતું, જે તેના સરેરાશ તાપમાન કરતા વધારે હતું. વૈજ્ઞાનિકોના મતે અરબી સમુદ્રનું પાણી ગરમ થઈ રહ્યું છે અને આ ગરમ પાણીના કારણે ચક્રવાતી તોફાન બને છે અને પછી લાંબા સમય સુધી ચાલે છે. બિપરજોય સાથે પણ એવું જ થયું.

મુખ્યમંત્રી કરશે હવાઈ નિરિક્ષણ

વાવાઝોડા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરી શકે છે જો વાતાવરણ અનુકુળ રહ્યું તો આજે શુક્રવારે તેઓ હવાઈ નિરિક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવશે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વાવાઝોડાની વિગતો મેળવી હતી.

આ પણ વાંચો : CYCLONE BIPORJOY : જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે શું થાય છે? જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×