Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : ED અધિકારીએ કરી આત્મહત્યા, રેલ્વે ટ્રેક પરથી લાશ મળી...

ED અધિકારીએ કરી આત્મહત્યા આલોકનો ભ્રષ્ટાચાર કેસમાં હતો સમાવેશ રેલ્વે ટ્રેક પરથી મળી લાશ ED માં તૈનાત એન્ફોર્સમેન્ટ ઓફિસર આલોક કુમાર રંજન દ્વારા આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. અધિકારીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર,...
delhi   ed અધિકારીએ કરી આત્મહત્યા  રેલ્વે ટ્રેક પરથી લાશ મળી
Advertisement
  1. ED અધિકારીએ કરી આત્મહત્યા
  2. આલોકનો ભ્રષ્ટાચાર કેસમાં હતો સમાવેશ
  3. રેલ્વે ટ્રેક પરથી મળી લાશ

ED માં તૈનાત એન્ફોર્સમેન્ટ ઓફિસર આલોક કુમાર રંજન દ્વારા આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. અધિકારીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આલોક ભ્રષ્ટાચારના એક કથિત કેસમાં ED અને CBI દ્વારા તપાસ હેઠળ હતા.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, 7 ઓગસ્ટના રોજ, ED ના એક સહાયક નિર્દેશકની CBI દ્વારા 50 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. CBI એ દાવો કર્યો હતો કે એક ફરિયાદીએ દાવો કર્યો હતો કે સંદીપ સિંહે તેમના પુત્રની ધરપકડ ન કરવા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. CBI એ 20 લાખની લાંચ લેતા દિલ્હીના લાજપત નગરમાંથી સંદીપની ધરપકડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો : Hema Cmmittee Report માં ચોનકાવનારું સત્ય, અભિનેત્રીઓ પાસે બળજબરીથી કરાવાય છે આ કામ...

Advertisement

CBI FIR પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો...

આ પૈસા મુંબઈના એક જ્વેલર પાસેથી લેવાઈ રહ્યા હતા. ED એ એ જ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા, જ્યારે સંદીપ તે ટીમનો ભાગ હતો. FIR માં સંદીપ સિંહને આરોપી બનાવવામાં આવ્યો હતો. FIR માં એન્ફોર્સમેન્ટ ઓફિસર આલોકનું નામ પણ હતું. બાદમાં સંદીપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં, ED એ CBI FIR પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો : Badlapur : સ્કૂલમાં છોકરીઓના યૌન શોષણ પર લોકો ગુસ્સે, ટ્રેન રોકી, સરકાર એક્શનમાં...

Tags :
Advertisement

.

×