Dhurandhar ફિલ્મને લઇને સ્વર્ગસ્થ મેજરના પરિવારે નોંધાવ્યો વિરોધ
- સ્વસ્થ મેજરના પરિવારે ફિલ્મ વિરૂદ્ધ કોર્ટમાં ઘા કરી
- ફિલ્મ નિર્માતાઓએ પરિવારની મંજુરી નહીં મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો
- ફિલ્મ નિર્માતા તરફે આ તેમની ફિલ્મ નહીં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો
Dhurandhar Film Matter Reach Delhi High Court : રણવીર સિંહ અભિનીત ફિલ્મ "ધુરંધર" ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, અને કેટલાક અહેવાલો દાવો કરે છે કે, તે સ્વર્ગસ્થ મેજર મોહિત શર્માના (Late Major Mohit Sharma Family File Application In Court On Dhurandhar Film) જીવન પર આધારિત છે. જો કે ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે તાજેતરમાં પુષ્ટિ આપી છે કે, તેમની ફિલ્મ શર્માના જીવન પર આધારિત નથી, બીજી તરફ મોહિત શર્માના પરિવારે "ધુરંધર" ની રિલીઝ પર રોક લગાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. એક અહેવાલ મુજબ, અરજીમાં જણાવાયું છે કે, આ ફિલ્મ વાસ્તવિક જીવન, ગુપ્ત કામગીરી અને જાણીતા સ્પેશિયલ ફોર્સિસ ઓફિસર મેજર શર્માના મૃત્યુ પર આધારિત હોય તેવું લાગે છે, પરંતુ ફિલ્મ નિર્માતાઓએ ક્યારેય ભારતીય સેના કે તેમના પરિવાર પાસેથી પરવાનગી લીધી નથી.
મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મેજર શર્માના જીવનના મહત્વપૂર્ણ ભાગો, ખાસ કરીને કાશ્મીરમાં તેમની આતંકવાદ વિરોધી ગુપ્ત કામગીરી, ફિલ્મના ટ્રેલર અને પ્રમોશનમાં દર્શાવવામાં આવ્યા છે. અરજીમાં, પરિવારે એમ પણ જણાવ્યું હતું કે, કેટલાક મીડિયા અહેવાલોએ ફિલ્મની વાર્તાને મેજર શર્માના જીવન સાથે જોડી છે (Late Major Mohit Sharma Family File Application In Court On Dhurandhar Film), પરંતુ ફિલ્મ નિર્માતાઓએ ના તો આ વાત સ્વીકારી છે, અને ના તો તેમની સાથે તેના વિશે વાત કરી છે. પરિવારનો દાવો છે કે, આ ફિલ્મ બંધારણની કલમ 21 હેઠળ શહીદોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે, પરંતુ તેમની ગોપનીયતા અને ગૌરવને પણ અસર કરે છે, કારણ કે, તે તેમની પરવાનગી વિના તેમનું ચિત્રણ કરે છે. અરજી રાષ્ટ્રીય સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરે છે. પરિવારે કોર્ટને "ધુરંધર" ની રિલીઝ પર રોક લગાવવા અને તેમના માટે ફિલ્મનું ખાનગી સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપવા વિનંતી કરી છે.
આદિત્ય ધરે સત્ય જાહેર કર્યું
આ અરજીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, ADGPI, ફિલ્મના દિગ્દર્શક અને સહ-નિર્માતા આદિત્ય ધર અને નિર્માતા જિયો સ્ટુડિયોને પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે (Late Major Mohit Sharma Family File Application In Court On Dhurandhar Film). થોડા દિવસો પહેલા, આદિત્યએ શર્માના ભાઈના ટ્વિટના જવાબમાં સ્પષ્ટતા કરી હતી કે, તેમની ફિલ્મ સ્વર્ગસ્થ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, "નમસ્તે સર - અમારી ફિલ્મ 'ધૂરંધર' બહાદુર મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી. આ એક સત્તાવાર સ્પષ્ટતા છે. હું તમને ખાતરી આપું છું કે, જો અમે ભવિષ્યમાં મોહિત સર પર બાયોપિક બનાવીશું, તો અમે સંપૂર્ણ સંમતિથી અને પરિવાર સાથે સંપૂર્ણ પરામર્શથી તે કરીશું, અને એવી રીતે કે, જે દેશ માટે તેમના બલિદાન અને તેમણે આપણા બધા માટે છોડી ગયેલા વારસાને ખરેખર માન આપે. નોંધનીય છે કે, 'ધૂરંધર', માં સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને સારા અર્જુન પણ છે, તે 5 ડિસેમ્બર, 2025 ના રોજ રિલીઝ થવાની છે."
આ પણ વાંચો ------ Bigg boss 19: શું અશ્નૂર બિગ બોસ 19 માંથી બહાર થશે? તાન્યા સાથે હિંસક વર્તન પર ભડકી કામ્યા પંજાબી


