Khyati કાંડ મુદ્દે પ્રફુલ પાનસેરિયાનું ચોંકાવનારું નિવેદન
- ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં શિક્ષણ વ્યવસ્થાની ખામી!
- શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું છલકાયું દર્દ!
- આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જઃ પાનસેરિયા
- ખ્યાતિ કાંડને પાનસેરિયાએ શિક્ષણ વ્યવસ્થા સાથે સાંકળ્યો
- ડૉક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયાઃ પાનસેરિયા
- નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા એટલે ખ્યાતિ જેવા કાંડઃ પાનસેરિયા
- ગાંધીનગરમાં કુલપતિ સમિટમાં બોલ્યા શિક્ષણ રાજ્યમંત્રી
Khyati Hospital Scandal : લોકોના હ્રદય ચીરીને પૈસા રળનારી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડે (Khyati Hospital scandal) દેશભરમાં ચકચાર ડગાવી છે. પોલીસ હવે એક પછી એક આરોપીઓને પકડી રહી છે. હોસ્પિટલનો મુખ્ય સંચાલક કાર્તિક પટેલ વિદેશ ફરાર થઇ ગયો છે ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી કુલપતિ સમિટમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું દર્દ છલકાયું છે. તેમણે કહ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં જ કોઇ ખામી હશે જેથી ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયા.
ડોક્ટરોની પૈસા કમાવાની ઘેલછામાં 2 દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં જઇને કેમ્પ યોજ્યા હતા અને પીએમજેવાય યોજના અંતર્ગત કરોડો રુપિયા ખંખેરવાના ઇરાદાથી નિર્દોષ લોકોને સારવારના નામે હોસ્પિટલમાં બોલાવ્યા હતા અને સારવારના નામે લોકોના હ્રદય ચીરીને એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી હતી. કેટલાક દર્દીઓને તો સ્ટેન્ટ પણ મુકાયા હતા. ડોક્ટરોની પૈસા કમાવાની ઘેલછામાં 2 દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા હતા.
આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ
દેશભરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગાજી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરમાં યોજાયેલી કુલપતિ સમિટમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ખ્યાતિ કાંડને પાનસેરિયાએ શિક્ષણ વ્યવસ્થા સાથે સાંકળ્યો હતો. તેમણે કહ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ. ડૉક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયા છે. તેમણે કહ્યું કે નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા એટલે ખ્યાતિ જેવા કાંડ થયા છે.
આ પણ વાંચો---Khyati Hospital Scam : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય પટોળિયાની કરી ધરપકડ
'ખ્યાતિકાંડ' નાં આરોપી ડો. સંજય પટોળિયાની ધરપકડ
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપી ડો. સંજય પટોળિયાની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યા બાદથી ડાયરેક્ટર ડો. સંજય પટોળિયા (Dr. Sanjay Patoliya) ફરાર હતો. જો કે, હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ઝડપી લીધો છે. જણાવી દઈએ કે, ધરપકડ પહેલા જ ડો. સંજય પટોળિયાએ આગોતરા જામીન અરજી કરી હતી, જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (Ahmedabad Rural Court) ફગાવી હતી.
અગાઉ આ આરોપીઓની થઈ હતી ધરપકડ
આ પહેલા આ કેસમાં ડો. પ્રશાંત વજિરાણીની (Dr. Prashant Vajrani) ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીનાં આધારે ખેડા (Kheda) જિલ્લાનાં કપડવંજ (Kapadvanj) તાલુકામાં આવેલા ઉકરડીનાં મુવાડામાં આવેલા એક મકાનમાં તપાસ કરી ડાયરેક્ટર ચિરાગ રાજપૂત (Chirag Rajput), મિલિંદ પટેલ, પ્રતિક અને પંકિલની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી રાહુલ જૈન ઉદયપુરમાંથી ઝડપાયો હતો. આરોપી ડો. સંજય સંજય પટોળિયાની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા તેવી વકી છે.
આ પણ વાંચો---Khyati Hospital : અદાણી અને અંબાણીને પણ ન હોય તેવા છે આ કૌભાંડીઓનાં ઘર!


