Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs NZ: પુણે ટેસ્ટમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન

ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝનો કાફલો હવે પુણે પહોંચી ગયો છે અને બધાની નજર હવામાન પર છે
ind vs nz  પુણે ટેસ્ટમાં વરસાદ બનશે વિલન  જાણો કેવું રહેશે હવામાન
Advertisement
  • ટીમ ઈન્ડિયા બીજી સ્ટેટ પુણેમાં રમાશે
  • ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને હરાવ્યું
  • પુણેમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી

IND vs NZ: બેંગલુરુ ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા (IND vs NZ)હવે પુણે ટેસ્ટ મેચમાંથી વાપસી કરવાની આશા રાખી રહી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. હવે સિરીઝની બીજી મેચ 24 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થઈ રહી છે. આ પહેલા કાનપુર ટેસ્ટ મેચમાં વરસાદના કારણે લગભગ 3 દિવસની રમત રમાઈ શકી ન હતી, જ્યારે ગયા અઠવાડિયે જ બેંગલુરુ ટેસ્ટ મેચમાં વરસાદના કારણે આખો દિવસ ખોવાઈ ગયો હતો. હાલમાં જ પુણેમાં ભારે વરસાદ થયો છે, જેના પછી દરેક ત્યાંના હવામાન પર નજર રાખી રહ્યા છે, પરંતુ વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવામાન પૂણે પર મહેરબાન થવાનું છે.

પૂણેનું હવામાન કેવું રહેશે?

ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝનો કાફલો હવે પુણે પહોંચી ગયો છે અને બધાની નજર હવામાન પર છે. તેનું એક કારણ એ છે કે તાજેતરના સમયમાં પુણેમાં વરસાદ થયો છે. 22મી ઑક્ટોબર મંગળવારના રોજ દિવસભર વાતાવરણ એકદમ સારું રહ્યું હતું અને બંને ટીમોએ પ્રેક્ટિસ કરી હતી પરંતુ રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં દરેક જણ થોડા ટેન્શનમાં છે. જો કે, બુધવારે પણ હવામાન સારું રહ્યું અને ભારત અને ન્યુઝીલેન્ડે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં વારાફરતી પ્રેક્ટિસ કરી. રાહતની વાત એ છે કે ગુરુવારે પણ સ્થિતિ એવી જ રહેવાની ધારણા છે.

Advertisement

Advertisement

વરસાદની સંભાવના નહીં

એક્યુવેધરના અનુમાન મુજબ, ગુરુવારે 24 ઓક્ટોબરે પુણેમાં વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, સવારથી જ હળવા વાદળો રહેશે અને સૂર્યપ્રકાશ પણ રહેશે, પરંતુ વરસાદનું એક ટીપું પણ પડવાની અપેક્ષા નથી, શુક્રવાર, 25 ઓક્ટોબરે, એટલે કે મેચના બીજા દિવસે હવામાન સમાન રહેવાની ધારણા છે જેના કારણે સ્પષ્ટ છે કે મેચ કોઈપણ સમસ્યા વિના સમયસર શરૂ થશે અને આગળ પણ ચાલુ રહેશે.

આ પણ  વાંચો -Zimbabwe vs Gambia: ઝિમ્બાબ્વેએ T20માં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ

કાનપુરમાં વરસાદની થઈ હતી અસર

આ પહેલા કાનપુરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ દરમિયાન લગભગ અઢી દિવસની રમત વેડફાઈ ગઈ હતી. તેમ છતાં ટીમ ઈન્ડિયા કોઈક રીતે તે મેચ જીતવામાં સફળ રહી હતી. જો કે આ પછી ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટમાં વરસાદનો માર સહન કરવો પડ્યો હતો. અહીં મેચનો પહેલો દિવસ વરસાદથી સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો અને બીજા દિવસે પણ સવારે હવામાન ખરાબ હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે પ્રથમ બેટિંગ કરવી મુશ્કેલ હતી અને તે માત્ર 46 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની અસર મેચના અંત સુધી રહી અને ટીમ ઈન્ડિયાનો 8 વિકેટે પરાજય થયો.

Tags :
Advertisement

.

×