Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TWO RUPEE DOCTOR તરીકે જાણીતા ડો. ગોપાલનું નિધન,' લક્ષ્મી' ક્લિનિક સુનુ પડ્યું

TWO RUPEE DOCTOR : તેમનું ક્લિનિક સવારે ચાર વાગ્યે શરૂ થતું અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેતું હતું. દરરોજ સેંકડો દર્દીઓ આવતા હતા
two rupee doctor તરીકે જાણીતા ડો  ગોપાલનું નિધન   લક્ષ્મી  ક્લિનિક સુનુ પડ્યું
Advertisement
  • કેરળના જાણીતા ડોક્ટરનું નિધન
  • ડો. ગોપાલ માત્ર બે રૂપિયામાં સારવાર આપતા હતા
  • આજે બપોરે તેમની અંતિમ વિધિ કરવામાં આવનાર છે - સુત્ર

TWO RUPEE DOCTOR : કેરળના કન્નુર (KERALA - KANNUR) માં વય સંબંધિત રોગોને કારણે રવિવારે ડોક્ટર એકે રાયરુ ગોપાલ (TWO RUPEE DOCTOR PASSED AWAY) નું અવસાન થયું. તેઓ છેલ્લા પાંચ દાયકાથી તેમના ક્લિનિકમાં હજારો ગરીબ દર્દીઓની સારવાર ફક્ત બે રૂપિયામાં કરી રહ્યા હતા. ડૉ. ગોપાલના પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. ડો. ગોપાલ 80 વર્ષના હતા, અને તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. કેટલાક તેમને બે રૂપિયા વાળા ડૉક્ટર સાહેબ કહેતા હતા, તો કેટલાક તેમને જાહેર ડૉક્ટર કહેતા હતા. તેમનું ક્લિનિક સવારે ચાર વાગ્યે શરૂ થતું અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેતું હતું. દરરોજ સેંકડો દર્દીઓ આવતા હતા. તેમની ફી પણ માત્ર બે રૂપિયા હતી. તેમની સેવાની ભાવના એવી હતી કે, તેઓ એવા દર્દીઓને પણ દવા આપતા હતા જેમની પાસે દવાઓ ખરીદવા માટે પૈસા નહોતા.

ક્લિનિક ઘરે બનાવવામાં આવ્યું હતું

ડોક્ટર ગોપાલ તેમના નિવાસસ્થાન 'લક્ષ્મી'માં બનેલા ક્લિનિકમાં દરરોજ દર્દીઓને જોતા હતા. બાદમાં તબિયત બગડવાને કારણે, તેમણે ક્લિનિકનો સમય સવારે છ વાગ્યાથી બદલીને સાંજે ચાર વાગ્યા કર્યો હતો. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે, મે 2024 માં તેમને પોતાનું ક્લિનિક બંધ કરવું પડ્યું હતું. આ કારણે વિસ્તારના ગરીબ દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ડૉક્ટરના અંતિમ સંસ્કાર બપોરે પય્યમ્બલમ ખાતે કરવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને 'લોકોના ડૉક્ટર' તરીકે જાણીતા ડૉક્ટર રાયરુ ગોપાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના સંદેશમાં, તેમણે કહ્યું કે, અડધી સદી સુધી, તેમણે તેમની કન્સલ્ટેશન સેવા માટે ફક્ત બે રૂપિયા વસૂલ્યા. લોકોની સેવા કરવાની તેમની ઇચ્છા ગરીબ દર્દીઓ માટે મોટી રાહત હતી.

Advertisement

આ પણ વાંચો ---- Jharkhand : માઓવાદીઓએ ફરીથી માથું ઉચક્યું, રંગરા-કરમપરા રેલવે ટ્રેકને બોમ્બથી ઉડાવી દીધો

Tags :
Advertisement

.

×