Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : ધુલેમાં બુરારી જેવી ઘટના, 1 ઘર, 1 ફાંસો, 4 મૃતદેહ, પોલીસે તપાસ હાથ ધરી...

Maharashtra થી એક ચોંકાવનારી ઘટના સામે આવી ધુલેમાં એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી પરિવારે શા માટે આવું પગલું ભર્યું તેનું કારણ હજુ અકબંધ મહારાષ્ટ્ર (Maharashtra)ના ધુલે શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના પ્રમોદ નગર સમર્થ...
maharashtra   ધુલેમાં બુરારી જેવી ઘટના  1 ઘર  1 ફાંસો  4 મૃતદેહ  પોલીસે તપાસ હાથ ધરી
Advertisement
  1. Maharashtra થી એક ચોંકાવનારી ઘટના સામે આવી
  2. ધુલેમાં એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી
  3. પરિવારે શા માટે આવું પગલું ભર્યું તેનું કારણ હજુ અકબંધ

મહારાષ્ટ્ર (Maharashtra)ના ધુલે શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના પ્રમોદ નગર સમર્થ કોલોનીમાં એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી લીધી છે. પ્રવીણ માનસિંહ ગીરાસે, ગીતા પ્રવીણ ગીરાસે અને તેમના બે પુત્રો મિતેશ પ્રવીણ ગીરાસે અને સોહમ પ્રવીણ ગીરાસેએ આત્મહત્યા કરી છે. પ્રવીણ ગીરાસેએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ગીતા પ્રવીણ ગીરાસે, તેના પુત્રો મિતેશ અને સોહમે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિવારે શા માટે આવું પગલું ભર્યું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ ચાલુ છે.

જાણો શું છે સમગ્ર મામલો...

Maharashtra ના ધુલે દેવપુરના પ્રમોદ નગર સમર્થ કોલોનીમાં પ્લોટ નંબર 8 માં રહેતા કૃષિ ખાતર વિક્રેતા પ્રવીણ ગીરાસે, તેની શિક્ષિકા પત્ની દીપાંજલિ પ્રવીણ ગીરાસે અને બે બાળકો મિતેશ અને સોહમના મૃતદેહ ગુરુવારે સવારે એક બંધ મકાનમાંથી મળી આવ્યા હતા, જેનાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘરમાં એકસાથે ચાર મૃતદેહો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ ઘટના લગભગ 3-4 દિવસ પહેલા બની હશે કારણ કે ઘરમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. ગીરાસેનું ઘર છેલ્લા ચાર દિવસથી બંધ હતું. ઘરકામ અર્થે આવેલી મહિલા પણ ગીરાસે પરિવાર ગામ ગયો હશે એમ વિચારીને બે વાર પાછી ફરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Jharkhand : IED બ્લાસ્ટમાં CoBRA બટાલિયનનો એક સૈનિક ઘાયલ, એરલિફ્ટ કરીને રાંચી લઇ જવાયો...

4 દિવસથી ઘર બંધ હતું, કોઈ અવાજ આવતો ન હતો...

જ્યારે આસપાસના લોકોને ચાર દિવસ પછી પણ ઘરમાંથી કોઈ અવાજ સંભળાતો ન હતો ત્યારે કેટલાક લોકોએ પ્રવીણ ગીરાસેની બહેન સંગીતાને જાણ કરી હતી. સંગીતા આજે સવારે પ્રવીણના ઘરે પહોંચી હતી અને લોકોની મદદથી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ ત્યાંનું નજારો મનને હચમચાવી દે તેવું હતું. પ્રવીણની લાશ ઘરના એક રૂમમાં લટકતી હતી. પત્ની અને બાળકોના મૃતદેહ જમીન પર પડેલા મળી આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને સંગીતા રડી પડી.

આ પણ વાંચો : Jammu Kashmir Election : કટરામાં PM મોદીની રેલી, કહ્યું- 'અમે દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર દૂર કરી રહ્યા છીએ'

આ સામૂહિક આત્મહત્યા છે કે બીજું કંઈક?

તે જ સમયે, ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આ દરમિયાન આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી ચારેય મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યા હતા. એક સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ હોવા છતાં, આ પરિવારમાં બનેલી આ ભયંકર ઘટનાએ ધુલેના લોકોને આઘાત પહોંચાડ્યો છે. આ સામૂહિક આત્મહત્યા છે કે બીજું કંઈક તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : 'હુમલાખોરો રાત્રે આવ્યા અને ઘરો આગની ભેટ ચઢાવી ગયા, હવે કેવી રીતે જીવી શું?' રડતી મહિલાની આપવીતી

Tags :
Advertisement

.

×