Pm Modi : 500 વર્ષ પછી પહેલી વાર રામ લલા તેમના મંદિરમાં દિવાળી ઉજવશે
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ધનતેરસની શુભેચ્છા પાઠવી
- વડાપ્રધાને કહ્યું કે રામ લાલા 500 વર્ષની રાહ જોયા પછી પહેલીવાર અયોધ્યામાં તેમના મંદિરમાં દિવાળી ઉજવશે
- સરયૂ કાંઠાના ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવાશે
- શ્રી રામ જન્મભૂમિ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવશે
Pm Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi )એ મંગળવારે કહ્યું કે ભગવાન શ્રી રામના બાળ અવતાર રામ લાલા 500 વર્ષની રાહ જોયા પછી પહેલીવાર અયોધ્યામાં તેમના મંદિરમાં દિવાળી (Diwali) ઉજવશે. તેથી જ આ વખતે દિવાળી ખાસ છે. ધનતેરસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ આજથી બે દિવસ દિવાળી ઉજવશે અને આ વર્ષે આ દિવાળી ખાસ છે. કારણ કે 500 વર્ષ પછી રામ લલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે. આ ભવ્ય મંદિરમાં આ પહેલી દિવાળી હશે. આ ખાસ અને દિવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે અમે ભાગ્યશાળી છીએ.
સરયૂ કાંઠાના ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવાશે
#WATCH | Preparations are in full swing as 25 lakh diyas will be lit to illuminate ghats along the banks of the Sarayu River during 'Deepotsav' in Ayodhya tomorrow pic.twitter.com/763nhvgdUn
— ANI (@ANI) October 29, 2024
આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી પ્રકાશિત થશે અને આ માટેની તૈયારીઓ ચરમસીમાએ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં "દરેકનો ઉત્સવ - અયોધ્યા દીપોત્સવ" ના નારા સાથે જણાવ્યું હતું કે, "દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે... દિવડા લગાવવામાં આવી રહ્યા છે.. અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમાર પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. અયોધ્યામાં દીપોત્સવ-2024નું આ આઠમું વર્ષ છે. તેની શરૂઆત 2017માં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ થઈ હતી. આ વખતે અયોધ્યામાં સરયૂ કાંઠાના ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો---PM Narendra Modi એ કહ્યું, હરિયાણાને લોકોએ ચોતરફ કમળથી પ્રફુલ્લિત કર્યું છે
મીણના દીવા પ્રગટાવવામાં આવશે
આ વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ વખતે રામલલાના મંદિરમાં ખાસ પ્રકારનો દીવો પ્રગટાવવાની યોજના છે. નવનિર્મિત શ્રી રામજન્મભૂમિ મંદિરમાં પ્રથમ દિવાળીની ભવ્ય અને "ઇકો-ફ્રેન્ડલી" તૈયારીઓ ચાલી રહી છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "This Diwali is historic, after 500 years such an occasion has come when thousands of lamps will be lit in the temple built on the birthplace of Ramlalla in Ayodhya. It will be a wonderful celebration. This will be such a Deepawali when… pic.twitter.com/IymI2dr7Ze
— ANI (@ANI) October 29, 2024
શ્રી રામ જન્મભૂમિ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવશે
રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવશે. તેમણે કહ્યું કે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરની ઇમારતના પરિસરમાં ખાસ મીણના દીવા પ્રગટાવવામાં આવશે, જેનાથી ન્યૂનતમ કાર્બન ઉત્સર્જન થશે.
51 હજારથી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ
તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં સરકારી નોકરીઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ઉમેદવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, 'આ તહેવારના વાતાવરણમાં, આજે આ શુભ દિવસે રોજગાર મેળામાં 51,000 યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. હું તમને બધાને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
આ પણ વાંચો---Narendra Modi: નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ


