રામ મંદિર પર PM મોદીના ધ્વજા ફરકાવતા પાકિસ્તાનનો વિરોધ, ભારતે આપ્યો કરારો જવાબ!
- Ram Mandir Pakistan Protest: રામ મંદિર શિખર પર PM મોદી ધ્વજા ફરકાવતા પાકિસ્તાનો વિરોધ
- પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવ્યો
- ભારતે આ વિરોધ પર કડક અને આકરી પ્રતિક્રિયા આપી છે
- પાકિસ્તાન લઘુમતીઓ પર અત્યાચાર કરે છે ભાષણ ન આપે: ભારત
અયોધ્યામાં નિર્મિત રામ મંદિરના શિખર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) દ્વારા ધ્વજ ફરકાવવામાં આવતા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને આ પગલાને ભારતમાં લઘુમતીઓ પર વધતા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસી નાખવાના પ્રયાસ તરીકે ગણાવ્યું છે. જોકે, ભારતે પાકિસ્તાનના આ નિવેદનને સખત શબ્દોમાં ફગાવી દીધું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો હતો. તેમણે પાકિસ્તાનને વિનંતી કરી કે, "પાકિસ્તાનનો લઘુમતીઓ પરના અત્યાચારોનો લાંબો ઇતિહાસ છે. તેમને અન્ય કોઈ દેશને સલાહ આપવાનો કોઈ અધિકાર નથી. લઘુમતીઓ પરના અત્યાચાર અને કટ્ટરતા પર પાકિસ્તાને ભાષણ ન આપવું જોઈએ."
Ram Mandir Pakistan Protest: પાકિસ્તનનો વિરોધ
ખરેખર, પાકિસ્તાને અયોધ્યામાં રામ મંદિર પર પીએમ મોદીના ધ્વજ ફરકાવવાનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર વધતા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસી નાખવાના પ્રયાસનો એક ભાગ છે. પાકિસ્તાને જણાવ્યું હતું કે રામ મંદિર હવે તે સ્થળ પર બનાવવામાં આવ્યું છે જ્યાં એક સમયે બાબરી મસ્જિદ હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદ એક સદીઓ જૂની ધાર્મિક સ્થળ હતી જેને 6 ડિસેમ્બર, 1992 ના રોજ ટોળા દ્વારા તોડી પાડવામાં આવી હતી. પીએમ મોદીએ મંગળવારે અભિજીત મુહૂર્ત (શુભ સમય) દરમિયાન સવારે 11:56 વાગ્યે 161 ફૂટ ઊંચા શિખર પર ધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજ ફરકાવતાની સાથે જ પીએમ મોદી, મોહન ભાગવત અને સીએમ યોગીએ હાથ જોડીને નમન કર્યું હતું.
#WATCH | Delhi | On Pakistan’s Ministry of Foreign Affairs' statement on flag-hoisting ceremony of Ram Temple, MEA Spokesperson Randhir Jaiswal says, "We have seen the reported remarks and reject them with the contempt they deserve. As a country with a deeply stained record of… pic.twitter.com/4dH5HAnIyy
— ANI (@ANI) November 26, 2025
Ram Mandir Pakistan Protest: ધ્વજા ફરકાવવાના મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવ્યો
પાકિસ્તાને યુએન હસ્તક્ષેપની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે ભારતીય અદાલતોએ બાબરી મસ્જિદ તોડી પાડવાના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને તે જ જમીન પર મંદિર બનાવવાની મંજૂરી આપી હતી. આ લઘુમતીઓ સામે ભેદભાવનું એક સ્પષ્ટ ઉદાહરણ છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો, ભારતમાં વધતા દબાણનો સામનો કરી રહ્યા છે. ભારતમાં ઘણી ઐતિહાસિક મસ્જિદો જોખમમાં છે. મુસ્લિમોને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે હાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતમાં વધી રહેલા ઇસ્લામોફોબિયા, નફરત અને મુસ્લિમો પરના હુમલાઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી. તેણે યુએન અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને ભારતમાં ધાર્મિક સ્થળો અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પગલાં લેવા હાકલ કરી હતી. પાકિસ્તાને લગભગ બે વર્ષ પહેલાં (22 જાન્યુઆરી, 2024 ના રોજ) થયેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પણ નિંદા કરી હતી અને તેને ભારતીય લોકશાહી પર એક ડાઘ ગણાવ્યો હતો.
Ram Mandir Pakistan Protest: ભારતે પાકિસ્તાને આપ્યો કરારો જવાબ
ભારત પર ખોટા આરોપ લગાવનાર પાકિસ્તાન પોતે લઘુમતીઓ સામે વ્યાપક હિંસાનો સામનો કરે છે. યુએસ રિપોર્ટ મુજબ 2025 ના પહેલા ભાગમાં પાકિસ્તાનમાં લઘુમતીઓ સામે હુમલા અને ધમકીઓની ઘણી ઘટનાઓ બની હતી પરંતુ સરકારે ગુનેગારો સામે કોઈ કડક કાર્યવાહી કરી ન હતી. તાજેતરમાં એક કોર્ટે ૨૦૨૩ માં એક ચર્ચ સળગાવવા બદલ ધરપકડ કરાયેલા ૧૦ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. પાકિસ્તાનમાં, ખાસ કરીને સિંધ અને પંજાબમાં, હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓના બળજબરીથી ધર્માંતરણ અને બળજબરીથી લગ્નના કિસ્સાઓ વારંવાર નોંધાય છે. થોડા વર્ષો પહેલાં, પાકિસ્તાનમાં એક ટોળાએ 100 વર્ષ જૂના હિન્દુ મંદિરમાં આગ લગાવી હતી.
જ્યાં એક તરફ પાકિસ્તાને આ કાર્યક્રમનો વિરોધ કર્યો, ત્યાં બીજી તરફ ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે નાતાલના દિવસે થયેલા આ ધ્વજવંદન સમારોહ પર ભારતને અભિનંદન પાઠવ્યા. તેમણે આ ક્ષણને સભ્યતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી અને ગયા વર્ષે મંદિરના નિર્માણ દરમિયાન અયોધ્યાની તેમની મુલાકાતના ફોટા પણ શેર કર્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં કરાઇ હત્યા? અફઘાનિસ્તાને કર્યો સનસનાટીભર્યો દાવો!


