ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: પરબધામના સંત કરશનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

રાજકોટ પરબધામનાં સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
09:37 PM May 02, 2025 IST | Vishal Khamar
રાજકોટ પરબધામનાં સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
karsandas bapu gujarat first

રાજકોટ પરબધામનાં સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની સીનર્જિ હોસ્પિટલમાં સંત કરસનદાસને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

સેવકોએ સંત કરશનદાસ બાપુના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી

સંત કરશનદાસને કમ્પલીટ હાર્ટ બ્લોક થતા તેઓને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેમના સેવકો તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અને સંત કરશનદાસ બાપુના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી.

આ પણ વાંચોઃ Rajkot: ઉપલેટા ટોલ પ્લાઝા પર ટ્રાવેલ્સ માલિકની દાદાગીરી, ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા કાર્યવાહીની કરી માંગ

હાલ કોઈ ભક્તો હોસ્પિટલ ખાતે ન આવેઃ ડોક્ટર

રાજકોટ સીનર્જિ હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ ટેલિફોનિક નિવેદન આપતા જણાવ્યું હતું કે, કરસનદાસ બાપુની સારવાર ચાલી રહી છે. તેમજ હાલ કોઈ ભક્તો હોસ્પિટલ ખાતે ન આવે. તેમજ ડોક્ટર દ્વારા તબીયત સુધારવા પ્રયત્નો ચાલુ છે. પરબધામ આશ્રમના મુખ્ય મહંત કરશનદાસ બાપુ છે.

આ પણ વાંચોઃ Surat: ચૌટા બજાર વિસ્તારમાં પોલીસ દ્વારા દબાણ દૂર કરાયું, સમસ્યાનો ઉકેલ નહી આવતા લોકોમાં રોષ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSParbadam Sant Karshandas BapuRajkot NewsRajkot Synergy HospitalSant Karshandas Bapu Heart Attack
Next Article