WAVES Summit નું આયોજન કરશે ભારત, PM Modi એ વિશ્વના કલાકારોને આપ્યું આમંત્રણ
- લોકોને WAVES Summit માં આવવા માટે આહ્વાન કર્યું
- જન્મજયંતિ પર યાદ કરીને ભાવુક શ્રદ્ધાંજલિ પણ આપી
- Indian સિનેમાના સુવર્ણ યુગને નવો આકાર આપ્યો છે
WAVES Summit 2025 : India આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં Global Audio Visual Entertainment Summit (WAVES)નું આયોજન કરશે. 5 થી 9 ફેબ્રુઆરી દરમિયાન Worldભરના કલાકારો દિલ્હીમાં એકઠા થશે. PM Modi એ કહ્યું કે WAVES Country અને World ના સર્જકોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વસ્તરીય મનોરંજનમાં Indiaની ક્ષમતા દર્શાવવાનો અને સહકારને પ્રોત્સાહન આપવાનો રહેશે. PM Modi એ આજરોજ મન કી બાતના રેડિયો સંબોધનમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે WAVES Summit વિશે વિગતવાર વાત કરી હતી.
લોકોને WAVES Summit માં આવવા માટે આહ્વાન કર્યું
PM Modi એ WAVES ની સરખામણી દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સાથે કરી હતી. PM Modi એ કહ્યું કે સમગ્ર વિશ્વના સર્જકો દિલ્હીમાં એક થશે અને તેમની ક્ષમતા દર્શાવશે. WAVES Summit એ Indiaને વૈશ્વિક સામગ્રી સર્જકોનું હબ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમણે યુવા સર્જકોને WAVES ની તૈયારીમાં સામેલ થવા અપીલ કરી હતી. PM Modi એ ઝડપથી વિકસતા સર્જક અર્થતંત્રમાં સર્જકોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. PM Modi એ કહ્યું કે India 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો: Manoj Bajpayee એ ફેમિલી મેન 3 માટે ચાહકોને આપી ખાસ અપડેટ
आकाशवाणी के लोकप्रिय कार्यक्रम #MannKiBaat के 117वें संस्करण में प्रधानमंत्री @narendramodi ने भारतवासियों को खुशखबरी दी है। दावोस की तर्ज़ पर, भारत में पहली बार वर्ल्ड ऑडियो विज़ुअल एंड इंटरटेंमेंट समिट यानि #WAVES2025 का आयोजन होने जा रहा है, जिसमें विश्व भर की मीडिया एंड… pic.twitter.com/HsOxxYuFld
— WAVES India (@WAVESummitIndia) December 29, 2024
જન્મજયંતિ પર યાદ કરીને ભાવુક શ્રદ્ધાંજલિ પણ આપી
PM Modi એ કહ્યું કે તમે કલાકાર કે યુવા સર્જક, પછી ભલે તમે સિનેમા કે બોલિવૂડ સાથે જોડાયેલા છો, અછવા એનિમેશન, ગેમિંગ અને ટીવી ઉદ્યોગમાં નિષ્ણાત છો. તો દરેકને આ WAVES Summit માં આવવા માટે આમંત્રણ છે. તેમણે મનોરંજન અને સર્જનાત્મકતાની World ના લોકોને WAVES Summit માં આવવા માટે આહ્વાન કર્યું હતું. આ દરમિયાન પીએમ PM Modi એ પ્રખ્યાત નિર્દેશક રાજ કપૂર અને ગાયક મોહમ્મદ રફીને તેમની 100 મી જન્મજયંતિ પર યાદ કરીને ભાવુક શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
Indian સિનેમાના સુવર્ણ યુગને નવો આકાર આપ્યો છે
તેમણે વધુમાં કહ્યું કે રાજ કપૂરે તેમની ફિલ્મો દ્વારા Indiaની સોફ્ટ પાવર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે મોહમ્મદ રફીનો મંત્રમુગ્ધ અવાજ આવનારી પેઢીઓ માટે ગુંજતો રહેશે. PM Modi એ તેલુગુ સિનેમાને આગળ લઈ જનાર અક્કીનેની નાગેશ્વર રાવના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે તેણે Indian પરંપરાઓને પ્રતિબિંબિત કરીને કામ કર્યું છે. PM Modi એ તપન સિંહાની ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો. PM Modi એ કહ્યું કે આ લોકોએ Indian સિનેમાના સુવર્ણ યુગને નવો આકાર આપ્યો છે.
આ પણ વાંચો: Malayalam actor Dileep Shankar નું નિધન, હોટલના રૂમમાંથી લાશ મળી


