Chhota Udepur: મૃતદેહને અગ્નિદાહ ક્યાં આપવો?, છોટાઉદેપુરના બોપા ગામમાં સ્મશાનનો વિવાદ, જાણો
- Chhota Udepur ના બોપા ગામે સ્મશાનનો વિવાદ
- એક વ્યક્તિએ તેની જમીન હોવાનો દાવો કરતા વિવાદ
- નાયક સમાજનાં લોકો ન્યાય માટે કલેકટર કચેરીએ પોહચ્યાં
- આવેદન પત્ર પાઠવી ન્યાય માટે ગુહરા લગાવી
- સ્મશાનની જમીન પર એક શખ્સે કર્યો પોતાની હોવાનો કર્યો દાવો
એક વ્યક્તિએ જમીન પોતાની હોવાનો દાવો કર્યો
પ્રાપ્તા માહિતી અનુસાર છોટાઉદેપુરના બોપા ગામ(Bopa Village) ગામે નાયક સમાજના 300 લોકોની વસ્તી છે. અન્ય સમાજના લોકો પણ આ ગામમાં રહે છે. નાયક સમાજ(Nayak Samaj) ના લોકો જ્યા રહે છે તેમના કોઈ વ્યક્તિનું મોત થાય તો તે વ્યક્તિની ક્યાં અંતિમવિધિ કરવી તે એક સવાલ નાયક સમાજ માટે ઉભો થયો છે. નાયક સમાજ વર્ષ 2017થી ગામના લોકોની મંજૂરીથી એક જગ્યાએ અંતિમવિધિ માટે ઉપયોગમાં લેતા હતા, તે જગ્યાએ ગામના એક વ્યક્તિએ તેની જમીન હોવાનો દાવો કરી મૃતક વ્યક્તિની અંતિમવિધિ માટે રોક લગાવી છે. વર્ષોથી સ્મશાન તરીકે ઉપયોગ કરતા લોકો આ જગ્યાએ અંતિમક્રિયા માટે આવે તો તેમના ફરિયાદ કરવાની ધમકી આપતો આપ્યો હોવાનું નાયક સમાજનાં લોકોએ આક્ષેપ કર્યા છે.
હેરાનગતિના આક્ષેપ
ગમલોકોની મંજૂરીથી નાયક સમાજના લોકો અહીં અંતિમક્રિયા વર્ષોથી કરતા આવ્યા છે, જે જમીન છે તે વનવિભાગની સરકારી જમીન છે. અહીં વનવિભાગ કે પંચાયત વિરોધ કરતુ નથી. પણ ગામનો એક જ વ્યક્તિ પોતાની જમીન હોવા નો દાવો કરી તેમને હેરાન કરતો હોવાના આક્ષેપ થયા છે. વર્ષોથી જ્યા અંતિમ ક્રિયા કરવામાX આવે છે ત્યાં હવે રમણ રાઠવા ખેતર તરીકે ઉપયોગ કરી ખેડાણ પણ કરે છે તો બીજી તરફ સ્મશાનનો હક્ક તેમનો છે, તેમ માની ત્યાં અંતિમક્રિયા કરે તો તેમની સામે ફરિયાદ પણ કરે છે જેથી લોકો ન્યાય માંગી રહ્યા છે. સમાજના લોકો દાવો કરી રહ્યા છે કે આ સરકારી જમીનનો ઉપયોગ તેવો સ્મશાન તરીકે વર્ષોથી કરી રહ્યા છે તો બીજી તરફ રમણ રાઠવાનું કહેવું છે કે આ જમીન તેને જંગલ જમીનના તેના હક્કને લઇ સરકારે આપી છે . જયારે સ્મશાનમાં મૃતકની અર્થી લાવવામા આવે છે ત્યારે વિવાદ સર્જાય છે.
મૃતકના મોતનો મલાજો જાળવવા વિનંતી
આક્ષેપ છે કે આ વિવાદનો અંત સરપંચ કે સરકાર લાવી શક્યા નથી. જેથી નાયક સમાજના લોકો હવે કલેક્ટરને આવેદનપુત્ર આપી ન્યાયની ગુહાર લગાવી છે. ત્યારે જલ્દીથી સર્વે કરાવી સાચી દિશામા તપાસ થાય તો ગમે ત્યારે કોઈ વ્યકતીનું મોત થાય તો મૃતકના મોતનો મલાજો જળવાય રહે.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃChhota Udepur: ‘તાળા કટાઈ ગયા પણ લોકાર્પણ નહીં’, તૈયાર આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ કેમ અટવાઈ?
આ પણ વાંચોઃ Deesa: ખેતરોમાં જેટકો કંપનીએ વીજ થાંભલા નાખી ખેડૂતોને વળતર ન આપ્યું, ખેડૂતોએ કર્યા આક્ષેપ


