- વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે, ક્રિસમસ ટ્રી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સંપત્તિમાં વધારો કરે છે. આ વૃક્ષને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે ક્રિસમસ ટ્રીનો આકાર ત્રિકોણાકાર હોવો જોઈએ. વાસ્તુમાં ત્રિકોણાકાર આકારને અગ્નિનું પ્રતીક માનવામાં આવે છે.
- ફેંગશુઈ અનુસાર, ક્રિસમસ ટ્રી ઘરના દક્ષિણ ભાગમાં ન લગાવવું જોઈએ, કારણ કે ઘરના દક્ષિણ ભાગમાં લગાવવામાં આવેલ ક્રિસમસ ટ્રી લાભની જગ્યાએ ઘણું નુકસાન કરી શકે છે.
- ક્રિસમસ ટ્રીની આસપાસ મીણબત્તી પ્રગટાવવો. મીણબત્તી પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા મળે છે. બીજી તરફ જો તેની આસપાસ રંગબેરંગી અને સુગંધિત મીણબત્તીઓ લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.
- ક્રિસમસ ટ્રી લાઇટ અને રિબનથી શણગારવામાં આવે છે. વળી, કેટલાક લોકો ક્રિસમસ ટ્રી પર ઘંટ પણ બાંધે છે. ફેંગશુઈ અનુસાર ઘંટડીનો અવાજ ખૂબ જ અસરકારક હોય છે. જ્યારે ઘંટ વગાડવામાં આવે છે, ત્યારે તેમાંથી નીકળતો અવાજ આખા ઘરમાં નવી ઉર્જા લાવે છે. એવું માનવામાં આવે છે કે જો ક્રિસમસ ટ્રી પર લાલ રિબનમાં બાંધેલા ત્રણ સિક્કા લટકાવવામાં આવે તો ઘરમાં પૈસાની કમી નથી રહેતી.
Home » ઘરમાં Christmas Tree લગાવવું ખૂબ જ શુભ, અનેક વાસ્તુ દોષ થાય છે દૂર
ઘરમાં Christmas Tree લગાવવું ખૂબ જ શુભ, અનેક વાસ્તુ દોષ થાય છે દૂર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
164
નાતાલ (Christmas) નો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મ (Christianity) ના લોકો માટે નાતાલનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં ક્રિસમસ ટ્રી (Christmas Tree)નું વિશેષ મહત્વ છે. નાતાલના અવસર પર ક્રિસમસ ટ્રીને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. નાતાલના તહેવાર પર જ નહીં પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ ક્રિસમસ ટ્રીનું ઘણું મહત્વ છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રી ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ખાસ છે. એવું માનવામાં આવે છે કે જે પરિવારમાં નકારાત્મક ઉર્જાનો પડછાયો હોય ત્યાં ક્રિસમસ ટ્રી લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં ક્રિસમસ ટ્રીનું બીજું શું મહત્વ છે…
ક્રિસમસ ટ્રીનું મહત્વ
એવું કહેવાય છે કે ક્રિસમસ ટ્રી બાળકો અને વડીલોમાં એકતાની ભાવના વધારે છે, જેના કારણે ઘરમાં તણાવ નથી રહેતો. તે પરિવારની સાથે પરંપરાઓને જીવંત રાખવાનું પણ કામ કરે છે. નાતાલના દિવસે આખો પરિવાર સાથે મળીને આ વૃક્ષને શણગારે છે, જેના કારણે ઘરના તમામ સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.
આ દિશામાં ક્રિસમસ ટ્રી મૂકો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject