Home » જાનમહોમ્મદભાઈ સમાએ 1971ના યુદ્ધ સમયની આપવીતી વર્ણવી, જાણો શું કહ્યું
જાનમહોમ્મદભાઈ સમાએ 1971ના યુદ્ધ સમયની આપવીતી વર્ણવી, જાણો શું કહ્યું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
56
કચ્છના મુખ્યમથક ભુજ ખાતે રહેતા 70 વર્ષીય જાનમહોમ્મદભાઈ સમાએ અનેક તડકા છાયા જોયા છે તેઓએ 1971 ના યુદ્ધમાં પંજાબના ગુરુદાસપુર બોર્ડર પર ચાલુ યુદ્ધ વચ્ચે દારૂગોળો પહોંચાડવાની કામગીરી કરી હતી જાનના જોખમ વચ્ચે દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમના જણાવ્યા પ્રમાણે તેઓ 20 વર્ષની વયે આર્મીના ઇલેક્ટ્રોનિક્સ મેકેનિકલ એન્જિનિયર વિભાગમાં જોઈન્ટ થયા હતા ત્યારબાદ તેઓએ મધ્યપ્રદેશના બેરાગઢ ખાતે ટેકનિકલ ટ્રેનિંગ મેળવી હતી ત્યારબાદ તેઓ શસ્ત્રકાર તરીકે જોડાયા હતા અને બેરાગઢ મધ્ય પ્રદેશ ખાતે દોઢ વર્ષ ટેકનિકલ ટ્રેનિંગ પૂર્ણ કરીને તેમની પોસ્ટિંગ ઉત્તર પ્રદેશના બબીના ખાતે થઈ હતી ત્યારે આ સમયે ૧૯૭૧ના સમયગાળો હતો અને બાંગ્લાદેશની પરિસ્થિતિ તંગ બની હતી.અને એવામાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જાહેરાત થતા,તમામ રજાઓ કેન્સલ કરી દેવાઈ હતી તેઓની તમામ બટાલિયનને પંજાબના પઠાણકોટ વિસ્તારમાં મોકલવામાં આવી હતી
જ્યાં 3.12. 1971 ના યુદ્ધનો પ્રારંભ થયો હતો અને આ સમયગાળા દરમિયાન અનેક પરિસ્થિતિઓ વચ્ચે તેઓની ટીમને દારૂગોળો પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી હતી એક તરફ બોમ્બ મારો અને બીજી તરફ દારૂગોળો પહોંચાડવાની કઠિન પરિસ્થિતિ હતી તેમ છતાં તેઓએ હિંમતભેર આગળ વધીને જરૂરિયાત મુજબ દારૂગોળો પહોંચાડતા હતા ત્યારે સૌથી વધુ ખતરો તેમની બટાલીયન પર હતો,રાત દિવસ જાગીને દારૂગોળો પહોંચાડતા રહ્યાં, અને અંતે 17 ,12 ,1971 ના યુદ્ધ વિરામ થયું હતુ ભારતે યુદ્ધ જીતીને ગૌરવભેર કામગીરી કરી હતી ત્યારે આ દિવસને જાનમહોમ્મદભાઈ આજે પણ તેઓ આ દિવસ ભૂલી શકતા નથી.
દર વર્ષે 15 મી ઓગસ્ટ ,26 જાન્યુઆરી આવે ત્યારે ઘર પર તિરંગો લહેરાવવાનું ભૂલતા નથી તેઓને કોઈપણ મળવા જાય ત્યારે તેઓ દરેકને સેનામાં કઈ રીતે સિસ્તમાં રહેવું,તેમજ રાષ્ટ્રસેવામાં સેનાનું સુ મહત્વ છે તે અંગે માર્ગદર્શન આપવાનું ચુકતા નથીએટલું જ નહીં તેઓ દરેક વ્યક્તિને ભારતમાં ક્યાં રાજ્યનું સુ મહત્વ છે તે ઇતિહાસ સહિતની જાણકારી આપે છે. જેમાં એક સંગ્રામ મેડલ પશ્ચિમી સ્ટાર મેડલનો સમાવેશ થાય છે.તેમને ગૌરવ છે કે દેશના દુશ્મનોને પરાજિત કરીને કઠિન પરિસ્થિતિ વચ્ચે તેઓએ બોર્ડર પર ફરજ બજાવી હતી આજે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તેઓએ પણ પોતાના ઘરમાં તિરંગો લહેરાવીને દેશ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આજે આપણે રાહતનો શ્વાસ ત્યારે જ લઈએ છીએ કે આપણી બોર્ડર પર આવા નીડર જવાનો તૈનાત છે જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે આ જવાનોએ જ પોતાની નીડરતા બતાવી છે ત્યારે દેશની સેવા કરનારા જવાનોને સો સો સલામ..
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject