દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે તેમજ ભુજમાં વડાપ્રધાનનો ત્રણ કિલોમીટરનો ભવ્ય રોડ શો સવારે સવારે 10 વાગ્યે થી શરુ થઇ ગયો છે. હાલમાં ભુજના રસ્તાઓ પર વડાપ્રધાનની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો તિરંગા સાથે સ્વાગત કરી રહ્યાં છે. જનમેદનીને જોઇને હાથ હલાવી વડાપ્રધાનશ્રી ખુશખુશાલ મુદ્રમાં જનમેદનીનું અભિવાદન ઝીલી રહ્યાં છે. વડાપ્રધાન આજે સવારે ભુજમાં આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરી રહ્યાં છે. જાણો પળેપળની અપડેટ ગુજરાત ફર્સ્ટ સાથે
– સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ
– સાંજે 5.00 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ
– રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના
વડાપ્રધાન શ્રી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે ભુજમાં મોટી સંખ્યામાં જનમેદની તેમનાસ્વાગતમાં ભુજના રસ્તાપર જોવા મળી રહી છે. આજે ભુજ માટે ખાસ દિવસ છે. વડાપ્રધાન બન્યાબાદ તેમની આ છઠ્ઠી ભુજ મુલાકાત છે. 2001માં આવેલ ભયાનક ભૂકંપની સ્મૃતિ આજે ફરી ભુજવાસીઓના મનમાં જાગૃત થઈ ગઈ. જો કે આજે પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું આજે લોકાર્પણ કરવામાં આવનાર છે. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા.