દરરોજ આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ જેની આપણને જાણ પણ નથી હોતી. આ ભૂલો ધીમે-ધીમે શરીર પર અસર કરે છે અને પછી એક મોટું નુકસાન આપણને થઈ શકે છે. આંખોની રોશની ગુમાવવાનું કારણ બની શકે તેવી ભૂલો વિશે જાણો.
આંખોની સામસ્યા હોય તો કરાવો તરત સારવાર
જો આંખોમાં કોઈ સમસ્યા હોય તો તેની સારવાર કરાવવામાં મોડું ન કરો. આંખોમાં ખંજવાળ, પાણી અથવા અન્ય સમસ્યાઓને સામાન્ય ગણવાની ભૂલ કરવાને બદલે, તેમની સારવાર કરાવો. તેમને અવગણવાથી આંખોની રોશની છીનવાઈ શકે છે.
રેગ્યુલર કરાવો ચેકઅપ
એવું પણ જોવા મળ્યું છે કે લોકો મહિનાઓ સુધી તેમનું ચેકઅપ કરાવતા નથી. આંખોની પણ એટલી જ કાળજી લેવી જોઈએ જેટલી બાકીના અંગોની કાળજી લેવામાં આવે છે. મોટા ભાગના લોકો વારંવાર ચેકઅપ નથી કરાવતા. તે યોગ્ય નથી.
નબળી કરે છે આંખો
સ્માર્ટ ફોનના ઉપયોગ વચ્ચે OTT પ્લેટફોર્મનું ચલણ વધ્યું છે. માત્ર દિવસ દરમિયાન જ નહીં પણ રાત્રે પણ સ્ક્રીન પર કલાકો વિતાવવી એ આજકાલ એક ફેશન ગણાય છે. આંખો પર આવો બોજ તેને કમજોર કરવા લાગે છે.
આંખોમાં ખંજવાળ આવવી સામાન્ય સમસ્યા પણ
આંખોમાં કોઈ સમસ્યા હોય ત્યારે તેમાં ખંજવાડો આવવી સામાન્ય બાબત છે પરંતુ જો તે તમને તે વારંવાર પરેશાન કરતી હોય તો તેની સારવાર કરાવો. ખંજવાળને કારણે આંખોને ઘસવાથી તે નબળી પડી જાય છે અને તેને અવગણવાથી મોટું નુકસાન થઈ શકે છે.