Home » બગહામાં 9 લોકોનો ભોગ લેનારા માનવભક્ષી વાઘ હણાયો, 6 મહિનામાં 9 લોકોનો શિકાર કર્યો હતો
બગહામાં 9 લોકોનો ભોગ લેનારા માનવભક્ષી વાઘ હણાયો, 6 મહિનામાં 9 લોકોનો શિકાર કર્યો હતો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
96
બિહારના પશ્ચિમ ચંપારણ સ્થિત બગાહામાં શનિવારે એક નરભક્ષી વાઘનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ તેણે 6 મહિનામાં 10 લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિ આજીવન લાચાર બની ગયો છે. વાઘે છેલ્લા બે દિવસમાં બે લોકો પર હુમલો કર્યો છે. નરભક્ષી વાઘનો ડર લોકોમાં તે હદે ઘર કરી ગયો હતો કે લોકો ઘરની બહાર નીકળતા અચકાતા હતા. જેથી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ નરભક્ષી વાઘને મારવાની પરવાનગી આપી હતી.
મળતી માહિતી મુજબ વન વિભાગની ટીમ છેલ્લા 25 દિવસથી બગાહાના જંગલોમાં વાઘને શોધી રહી હતી. આ ટીમમાં બિહાર વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય નિષ્ણાતો સામેલ હતા. તેઓ કહે છે કે વાઘ બીજા વાઘના પ્રદેશમાં આવી ગયો હતો. આ કારણે તે જંગલમાં જઈ શક્યો ન હતો. ગામડાઓમાં ફરતો હતો અને લોકોને પોતાનો શિકાર બનાવતો હતો. શુક્રવારે રાતે જ આ વાઘ માટે શૂટ એટ સાઈટનો ઓર્ડર નિકળી ચુક્યો હતો. આજે તેને મારી દેવામાં આવ્યો છે.
નરભક્ષી વાઘના સતત વધી રહેલા હુમલાને કારણે વધી રહેલા ગુસ્સાને કારણે ગ્રામજનોએ હોબાળો શરૂ કર્યો હતો. ગત રોજ લોકોએ વનવિભાગની કચેરી પર પણ પથ્થરમારો કર્યો હતો. સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તેઓએ માંગણી કરી છે કે કાં તો વન વિભાગ વાઘને પકડે અથવા તેને મારી નાખે. વાઘ જ્યાં વધારે ભટકતો હતો તે વિસ્તાર આદિવાસી ઓરાઓન અને થારુ જાતિનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તેમની આજીવિકા મુખ્યત્વે જંગલ પર આધારિત છે. આ લોકોની જંગલમાં રોજેરોજ લોકોની અવરજવર રહેતી હોય છે અને આ દરમિયાન વાઘ ઓચિંતો હુમલો કરીને લોકોને પોતાનો શિકાર બનાવતો હતો.
બિહારમાં કોઈ વાઘને મારી નાખવામાં આવ્યો હોય તેવું આ પહેલીવાર બન્યું છે. અત્યાર સુધી આ વાઘને પિંજરામાં કેદ કરીને પકડવામાં આવતો અથવા ટ્રેન્કુલાઈઝર ફાયર કરી તેને બેહોશ કરી દીધા બાદ પકડવામાં આવતો હતો પરંતુ આ બધા જ પ્રયત્નો નિષ્ફળ રહેતા તેને મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ છે નિયમ
જો કોઈ જાનવર નરભક્ષી બને તો તો તેનો શિકાર કરી શકાય છે, પરંતુ દરેક વ્યક્તિ શિકાર કરી શકતો નથી. આ માટે કાયદો છે. ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન વન્ય જીવ પ્રાણીને મારી નાખવાનો આદેશ આપે છે. આ કાયદો વન્યજીવ અધિનિયમ 1972ની કલમ 11(1)માં વિગતવાર છે. દરેક રાજ્યમાં એક ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન તૈનાત છે. ચીફ લાઈફ વોર્ડનના આદેશ પછી જ પ્રાણીને મારી શકાય છે. શિકાર માટે યોગ્ય કારણ પણ હોવું જોઈએ, સૌ પ્રથમ તો એ જણાવવું જરૂરી છે કે પ્રાણીનો શિકાર શા માટે જરૂરી છે. જો ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનને એવું લાગે કે આ પ્રાણી મનુષ્યના જીવને ખતરો છે, તો આવા નરભક્ષી પ્રાણીઓના જોખમને વાજબી ઠેરવીને સંબંધિત પ્રાણીને મારી નાખવાના આદેશો આપવામાં આવે છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject