Home » શું બે ગેંગ વચ્ચેની દુશ્મનીએ સિદ્ધુનો જીવ લીધો? જાણો શું છે ષડયંત્ર
શું બે ગેંગ વચ્ચેની દુશ્મનીએ સિદ્ધુનો જીવ લીધો? જાણો શું છે ષડયંત્ર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
75
પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે રાજકારણ પણ ગરમાયું છે. પંજાબ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ઘટના માટે AAPસરકાર જવાબદાર છે. પંજાબ સ્થિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફેસબુક પેજએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. એવું કહેવામાં આવ્યું હતું કે લોરેન્સ અને તેના ભાઈ ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી છે.
તમને જણાવી દઈએ કે લોરેન્સ એક કુખ્યાત ગેંગસ્ટર છે જે હાલમાં તિહાર જેલમાં બંધ કારણકે ગાયકની સુરક્ષા ઘટાડીને AAP સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 વર્ષની વયે રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સહિત દેશભરમાં મૂસેવાલાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેમને યુવા આઇકોન માનવામાં આવતા હતા. તેના દરેક ગીતને કરોડો હિટ્સ મળતા હતા. પરંતુ જે દર્દનાક રીતે તેની હત્યા કરવામાં આવી હતી તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તેણે વર્ષ 2016માં તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમના ગીતો ખૂબ પ્રખ્યાત છે. સિદ્ધુ તેમના ગીતોમાં બંદૂકો વિશે ગાવા માટે જાણીતા હતા..ગાયકની કારકિર્દીનું પ્રથમ ગીત “જી વેગન” હતું. પરંતુ તેને લોકપ્રિયતા વર્ષ 2017માં આવેલા ગીત ‘સો હાઈ’થી મળી હતી.
હત્યાનો ફૂલ પ્રૂફ પ્લાન કરાયો
પ્રખ્યાત પંજાબી ગાયક, રેપર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની રવિવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો બે કારમાં આવ્યા હતા. સિદ્ધુ પોતાની કારમાં ખારા-બરનાલા ગામ જઈ રહ્યો હતો ત્યારે સિદ્ધુ પર હુમલો થયો હતો. જે રીતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ઘટનાને અંજામ આપવા માટે સંપૂર્ણ પ્લાન ઘડવામાં આવ્યો હતો. કોઈ ભૂલ ન થાય તે માટે સંપૂર્ણ આયોજન પણ હતું.
લોરેન્સ બિશ્નોઈનું નામ આવ્યું
સિદ્ધુ પર કોણે અને શા માટે હુમલો કર્યો તે અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. દરમિયાન, પંજાબ સ્થિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફેસબુક પેજએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. એવું કહેવામાં આવ્યું હતું કે લોરેન્સ અને તેના ભાઈ ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે લોરેન્સ એક કુખ્યાત ગેંગસ્ટર છે જે હાલમાં તિહાર જેલમાં બંધ છે. તેમની સાથે લગભગ 700 ગુંડાઓનું નેટવર્ક છે. જ્યારે ગોલ્ડી કેનેડા ગેંગસ્ટર પણ કુખ્યાત છે.
AN-94, 8-10 હુમલાખોરો, 30 થી વધુ રાઉન્ડ ગોળીબાર
સિદ્ધુ મૂસાવાલા પર થયેલો હુમલો ઘણો ઘાતક હતો પોલીસે બાદમાં જણાવ્યું હતું કે હુમલામાં કુલ ત્રણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હથિયારો કયા હતા, તેની તપાસ હજુ ચાલુ છે. એક હથિયાર AN-94 એસોલ્ટ રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પંજાબમાં ગેંગ વોરમાં આ પહેલીવાર AN-94 રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હથિયારો વિદેશી છે. તે જ સમયે, સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલામાં ઉપયોગમાં લેવાતા હથિયારોમાંથી એક AN-94 એસોલ્ટ રાઇફલ વપરાઇ છે. 8 થી 10 હુમલાખોરોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. જેમાં 30 થી 35 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી 8 ગોળીઓ સિદ્ધુને લાગી હતી.
શું બે ગેંગ વચ્ચેની દુશ્મનીએ સિદ્ધુનો જીવ લીધો?
સિદ્ધુ મુસેવાલાની હત્યામાં ઉત્તર ભારતના અલગ-અલગ ગેંગ વચ્ચેની દુશ્મનાવટની વાર્તા છુપાયેલી છે. ત્યાર બાદ રેકી કરવામાં આવી હતી અને શાર્પ શૂટરો ગોઠવવામાં આવ્યા હતા.અ ને પછી સિદ્ધુ મુસેવાલા પર થયેલા હુમલામાં તે માર્યાે ગયો. આ અંગે પલીસને પુરાવા મળ્યાં છે કે તિહાર જેલ માંથી કેનેડામાં બેઠેલા અન્ય ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે બિશ્નોઇએ ફોન પર વાત કરી. ત્યાર બાદ રેકી કરવામાં આવી હતી અને શાર્પ શૂટરો ગોઠવવામાં આવ્યા હતા. અને પછી સિદ્ધુ મુસેવાલા પર હુમલો કરાયો હતો.
તિહાર જેલમાં આ હત્યાનું કાવતરું ઘડાયું
અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તિહારમાંજેલમાં રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે તેણે કેનેડામાં રહેતા તેના પાર્ટનર ગોલ્ડી બ્રાર સાથે મળીને જેલમાંથી ગુપ્ત રીતે છુપાઈ ગયો હતો. આ જ કારણ છે કે પંજાબ પોલીસ હવે રિમાન્ડ પર તિહાર જેલમાં બંધ પંજાબ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે, જેથી આ હત્યા કેસ અંગે વધુ ઊંડી માહિતી મેળવી શકાય અને હત્યાનો હેતુ સ્પષ્ટ થઈ શકે. પોલીસે માણસામાંથી જ છ શકમંદોની ધરપકડ કરી છે, જેમાં શાહરુખ મુખ્ય છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. જેથી આ હત્યા કેસ અંગે વધુ ઊંડી માહિતી મેળવી શકાય અને હત્યાનો હેતુ સ્પષ્ટ થઈ શકે.
અગાઉ પણ સિદ્ધુને મારવાનો પ્રયાસ કરાયો હતો
અગાઉ પણ સિદ્ધુને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પછી સુરક્ષા કર્મચારીઓને જોઈને ગુંડાઓ પાછા ફર્ય હતાં. પૂછપરછ દરમિયાન શાહરૂખે કુલ 8 નામ આપ્યા છે, જેમના પર તેણે હત્યારાઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમાં પંજાબી સિંગર મનકીરત ઔલખના મેનેજરનું નામ પણ સામેલ છે. શાહરૂખે કહ્યું કે તે ભોલા (હિસારનો રહેવાસી) અને સોનુ કાજલ (નરનૌદ, હરિયાણા) સાથે મૂસાવાલા ગામમાં ગયો હતો. ત્યાર બાદ ગોલ્ડીએ તેમને સિદ્ધુને મારવા માટે UZI હથિયારો આપ્યા.ત્યારબાદ શાહરૂખે હત્યાને અંજામ આપવા માટે AK-47 અને બીયર સ્પ્રેની માંગણી કરી, પછી કોઈ કારણસર શાહરૂખ આ કામથી અલગ થઈ ગયો. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે સિદ્ધુની હત્યામાં એ જ બોલેરો કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ ભોલા અને સોનુએ રેકી દરમિયાન કર્યો હતો.
તપાસમાં કુલ 8 નામો સામે આવ્યા છે, જેમણે સિદ્ધુ મુસેવાલાના હત્યારાઓને મદદ કરી હતી
1. ગોલ્ડી બ્રાર
2. લોરેન્સ બિશ્નોઈ
3. સચિન (મનકીરત ઔલખ)
4. જગમુ ભગવાનપુરિયા
5. અમિત કાજલા
6. સોનુ કાજલ અને બિટ્ટુ (બંને હરિયાણાના)
7. સતેન્દર કાલાફરીદાબાદ સેક્ટર 8)
8. અજય ગિલ
એક કાર, બે નંબર પ્લેટ
આ કેસમાં તપાસ તેજ કરી દેવાઇ છે. હુમલાખોરો ઘટનાસ્થળે કાર છોડીને ભાગી ગયા હતા. આ બોલેરો ગાડી પર દિલ્હી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. જે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. ગાડીની અંદર પંજાબ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ પણ મળી આવી હતી. વાહનની તપાસ હવે ચાલુ છે.
મૂસાવાલાની હત્યાનો મામલો પેચીદો, વિકી મિડુખેડાની હત્યાનો બદલો
સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મામલો પેચીદો બની રહ્યો છે. પરિવારનું કહેવું છે કે મૂસેવાલાની ખંડણી ન ચૂકવવા બદલ હત્યા કરવામાં આવી હતી, જ્યારે પોલીસે બે ગેંગ વચ્ચેની આપસી દુશ્મનાવટમાં તેની હત્યા કરી હોવાનું કહી રહી છે. જો કે સિદ્ધુ મૂસાવાલની હત્યાને વિકી મિડુખેડાની હત્યાનો બદલો માનવામાં આવી રહ્યો છે. વિકી મિદુખેડા યુવા અકાલી નેતા હતો. તે લોરેન્સ બિશ્નોઈની નજીકનો હતો. લોરેન્સ બિશ્નોઈ એક સમયે પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નેતા પણ હતો. હાલમાં લોરેન્સ બિશ્નોઈની ગેંગ અને દવિંદર બંબીહા ગેંગ વચ્ચે દુશ્મનાવટ છે. આ બધું વર્ષ 2016માં શરૂ થયું હતું. દવિન્દર બંબીહા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. દવિન્દર બંબીહા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ હત્યા પાછળ પરસ્પર દુશ્મનાવટ અને ગેંગ વોર મનાતું હતું. પરંતુ તેની ગેંગ હજુ ચાલુ છે. દવિન્દર હવે લકી પટિયાલ આર્મેનિયાની હવે બંબીહા ગેંગનું સંચાલન કરી રહ્યો છે. 7મી ઓગસ્ટ 2021ના રોજ મોહાલીમાં, યુવા અકાલી નેતા વિક્રમ સિંહ ઉર્ફે વિકી મિદુખેડાની 7 ઓગસ્ટ 2021ના રોજ મોહાલીમાં જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. બંબીહા ગ્રૂપે સોશિયલ મીડિયા પર આની જવાબદારી લીધી હતી. મિદુખેડા હત્યાકાંડમાં સામેલ શૂટરોને મૂસાવાલાએ આશ્રય આપ્યો હતો, જેનો બદલો હવે બિશ્નોઈ ગેંગે લીધો છે. હાલના અપડેટ અનુસાર, આ હત્યા મામલે લોરેન્સ બિશ્નોઈનો પણ પૂછપરછ કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં તિહાર જેલમાં બંધ છે. પંજાબ પોલીસ અહીં આવીને તેની પૂછપરછ કરશે અને તેને રિમાન્ડ પર પણ લઈ શકે છે.
એફઆઈઆરમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ
જો કે આ કેસમાં નોંધાયેલ એફઆઈઆરમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302, 307, 341 અને આર્મ્સ એક્ટની કલમ 25 અને 27 લગાવવામાં આવી છે. આ એફઆઈઆર સિટી-1 માણસા પોલીસ સ્ટેશન (જિલ્લા માણસા) ખાતે થઈ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યા પાછળ પરસ્પર દુશ્મનાવટ અને ગેંગ વોર છે.
Sidhu Moosewala, Aam Aadmi Party, Punjab Government
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject