દેશમાં કોરોનાના સતત
વધી રહેલા કેસ સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. રાજધાની દિલ્હી અને
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં કોવિડ-19ની ઉભરી રહેલી સ્થિતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે
બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ
દ્વારા દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં દેશમાં વધી રહેલા
કોરોના કેસ અંગે ચર્ચા થશે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બેઠકમાં
કોરોનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.
Maharashtra reports 153 new #COVID19 cases, 135 recoveries and 4 deaths in the last 24 hours. Active cases 943 pic.twitter.com/T723hOv2aX — ANI (@ANI) April 26, 2022 ” title=”” target=””>javascript:nicTemp();
મંગળવારે દેશભરમાં કોરોનાના 2483 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 43062569 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં સકારાત્મકતા દર 6 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે.
Delhi reports 1204 new #COVID19 cases, 863 recoveries and 1 death in the last 24 hours. Active cases 4508 pic.twitter.com/qxSNFHqvkd — ANI (@ANI) April 26, 2022 ” title=”” target=””>javascript:nicTemp();