ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Godhra Kand : સાબરમતી એક્સ. સળગાવવાનાં કેસમાં 9 પો. કર્મીઓની છટણી અંગે HC નો મોટો નિર્ણય

હાઈકોર્ટે કહ્યું કે, સાબરમતી એક્સપ્રેસ ઘટના વખતે પોલીસકર્મીઓ પોતાની ફરજમાંથી વિમુખ રહ્યા હતા.
06:18 PM May 02, 2025 IST | Vipul Sen
હાઈકોર્ટે કહ્યું કે, સાબરમતી એક્સપ્રેસ ઘટના વખતે પોલીસકર્મીઓ પોતાની ફરજમાંથી વિમુખ રહ્યા હતા.
HC_Gujarat_first main 1
  1. વર્ષ 2002 સાબરમતી એક્સપ્રેસ સળગાવવાનો કેસ (Godhra Kand)
  2. 9 પોલીસકર્મીઓની છટણીને હાઈકોર્ટે બહાલી આપી
  3. ઘટના વખતે પોલીસકર્મીઓ ફરજથી વિમુખ રહ્યા : હાઇકોર્ટ
  4. ફરજ મુજબ પેટ્રોલિંગ ન કરી, શાંતિ એક્સપ્રેસ પકડી : હાઇકોર્ટ
  5. શિસ્તબદ્ધ સેવામાં ફરજ વિમુખતા સહન ન કરી શકાય : HC

Godhra Kand : વર્ષ 2002 માં સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express) સળગાવવા કેસ મામલે હાઈકોર્ટેને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગોધરા ઘટનાનાં (Godhra Kand) દિવસે ફરજ મૂકી ટ્રેન છોડનારા 9 પોલીસકર્મીઓની છટણીને કોર્ટે બહાલી આપી છે. હાઈકોર્ટે કહ્યું કે, સાબરમતી એક્સપ્રેસ ઘટના વખતે પોલીસકર્મીઓ પોતાની ફરજમાંથી વિમુખ રહ્યા હતા. આવા રેલવે પોલીસકર્મીઓની (Railway Police) છટણી યોગ્ય છે.

આ પણ વાંચો - Gujarat High Court : વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો, આરોપીને પાસપોર્ટ આપવાનો HC નો આદેશ

ઘટના વખતે પોલીસકર્મીઓ ફરજથી વિમુખ રહ્યા : હાઇકોર્ટ

સમગ્ર દેશને હચમચાવી દેનારા એવા વર્ષ 2002 માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (Sabarmati Express) સળગાવવાનાં કેસમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્ત્વનો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, કોર્ટે ગોધરા ઘટનાનાં (Godhra Kand) દિવસે પોતાની ફરજ મૂકીને ટ્રેન છોડનારા 9 પોલીસકર્મીઓની છટણીને બહાલી આપી છે. કોર્ટે જણાવ્યું કે, સાબરમતી એક્સપ્રેસ ઘટના વખતે પોલીસકર્મીઓ પોતાની ફરજમાંથી વિમુખ રહ્યા હતા. આવા રેલવે પોલીસકર્મીઓની છટણી યોગ્ય છે. પોલીસકર્મીઓએ ફરજ મુજબ સાબરમતી એક્સપ્રેસમાં પેટ્રોલિંગ ના કરીને શાંતિ એક્સપ્રેસ (Shanti Express) પકડી હતી.

આ પણ વાંચો - Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા નવા 7 ન્યાયાધીશ, જાણો નામ

'પોલીસફોર્સ જેવી શિસ્તબદ્ધ સેવાઓમાં ફરજ વિમુખતા સહન કરી શકાય નહીં'

માહિતી અનુસાર, આ 9 પોલીસકર્મીઓએ દાહોદ રેલવે સ્ટેશન (Dahod Railway Station) પર ખોટી નોંધ કરી હતી કે તેઓ સાબરમતી એક્સપ્રેસમાં હતા. જો કે, હકીકત સામે આવતા તંત્રે તેમને ફરજ વિમુખ, બેફામ અને ઘોર બેદરકારી દાખવવા બદલ છટણીનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, આ પ્રકારના પગલાં યોગ્ય હતા, જે શિસ્ત માટે જરૂરી છે. પોલીસફોર્સ (Gujarat Railway Police) જેવી શિસ્તબદ્ધ સેવાઓમાં ફરજમાંથી વિમુખતા સહન કરી શકાય નહીં. ટ્રેન જેવી સંવેદનશીલ જગ્યાએ ફરજદાર લોકો છૂટથી ચાલશે તો ભવિષ્યમાં આવી ઘટના નિવારવી મુશ્કેલ બનશે.

આ પણ વાંચો - Gujarat High Court : ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો આટલા વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે!

Tags :
Burning Sabarmati Express in GodraDahod Railway StationGodhra HatyaKandGodhra IncidentGodhra KandGUJARAT FIRST NEWSGujarat High CourtGujarat Railway PolicepanchmahalShanti ExpressTop Gujarati News
Next Article