અહેવાલ શક્તિસિંહ રાજપૂત
ભારતમાં દાનધર્મ એ સૌથી મોટો ધર્મ છે
ભારતમાં દાનપૂનનું મહત્મ સૌથી વધારે માનવામાં આવે છે. કારણ કે ભારત દેશમાં એવું માનવામાં આવે છે દાનધર્મ એ સૌથી મોટો ધર્મ છે. ત્યારે 4 દેશોના 108 જેટલા લોકો ચિત્રકૂટ થી 12 ડિસેમ્બરના રોજ નીકળ્યા હતાં, અને આ લોકો દ્વારા ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.
વિદેશના નાગરિકો દ્વારા અંબાજીમાં હોસ્પિટલ બનાવવામાં આવ્યું
આ લોકો 23 તારીખના રોજ કચ્છના ઘોરડો ખાતે યાત્રાનું સમાપન કરશે. આ લોકો વિદેશી લોકો યુકેની ઈન્ટરનેશન સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થાના લોકો ઉદયપુરથી નિકળી અંબાજી પહોંચ્યા હતાં. અંબાજી સર્કિટ હાઉસમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ દ્વારા પણ આદિવાસી સંસ્કૃતિના લોક નૃત્ય રજૂ કરીને તેમને ભારતીય સંસ્કૃતિની યાદ અપાવવામાં આવી હતી. ત્યારબાદ આ તમામ લોકો અંબિકા ભોજનાલયમાં ભોજન માટે ગયા હતા.
ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ત્યાર પછી તેમણે ચિત્રકૂટની 25 વર્ષ જૂની હોસ્પિટલ જૂની થઈ જતા ગરીબો માટે હોસ્પિટલની સેવા હજુ પણ ચાલુ રહે તે માટે સેવા.યુકે.ડોટ કોમના 108 જેટલા લોકો રીક્ષા લઈને ફાળો એકઠા કરવા નીકળ્યા હતા જેમાં તેમને ઘણી જગ્યાએ સારો એવો ફાળો મળ્યો હતો.
આ પણ વાંચો: Chhota Udaipur: રાજ્યમાં પોલીસના ઘરો અસુરક્ષિત, તો… સામાન્ય નાગરિકનું શું થશે ?