રાજ્યમાં ગત રવિવારે માવઠાએ કહેર વર્તાવ્યો હતો
માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તુવેર, શાકભાજી, કપાસ સહિતના ખેતી પાકને મોટું નુકસાન થયું છે અને તેમાંથી ખેડૂતોની કળ વળી નથી. ત્યાં ફરી માવઠાની મોંકાણ સામે આવી છે. ખેડૂતોને જ નહી પણ આ માવઠું સામાન્ય લોકોને પણ રાતા પાણીએ રડાવી રહ્યું છે. સિંગતેલના ભાવમાં ભડકો થયા બાદ હવે લીલા શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. અને ૩૦થી ૩૫ ટકાનો અસહ્ય ભાવવધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે.