વડોદરા શહેર જિલ્લામાં કોંગ્રસ પાર્ટીમાં ભાજપે પાડેલ મોટા ગાબડાં બાદ હવે ભાજપે એક તીરે બે નિશાન સાધતા મહીસાગર જિલ્લામાં આમ આદમી પાર્ટી અને NCP મા ભંગાણ સર્જાતા ત્રણ સભ્યોને ભાજપાનો કેસરિયો ધારણ કરી લેતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે અને સમગ્ર દિવસ દરમ્યાન આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના બે નેતા તેમજ કોંગ્રેસમાંથી જીલ્લા પંચાયતમાં બે ટ્રમ સુધી સભ્ય રહી ચૂકેલા સભ્ય અને હાલ NCPના નેતા ભરત પટેલ તેમજ સંતરામપુર વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડેલા પર્વત વગાડ્યા સહીત ખાનપુર તાલુકા પંચાયતના કારંટા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ આજ રોજ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાની હાજરીમાં સહિત,મંત્રી કુબેર ડિંડોર અને પ્રભારી મંત્રી બચુંભાઈ ખાબડ સહિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથ સિંહ બારીયા ની હાજરી મા ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કર્યો
ત્યારે બીજી તરફ સંતરામપુર વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડેલા પર્વત વગાડ્યા સહીત ખાનપુર તાલુકા પંચાયત ના કારંટા બેઠક ના આમ આદમી પાર્ટી ના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ જોડાયાં ભાજપમાં જોડ્યા છે
આ પણ વાંચો –રાજકોટ-સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારના ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા: CM