રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના રાજકોટ જામનગર હાઈવે પર બની છે. રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી છે.
રાજ્યમાં બનેલી અકસ્માતની અન્ય ઘટનાઓ
ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી
રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.
આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી.
આ પણ વાંચો- મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી, બે મુસાફરોના મોત