સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી 1000 બેડની કોવિડને આજથી બંધ કરી દેવામાં આવી છે. હાલ સિટીમાં 64 એક્ટિવ કેસ છે. જો કે, તમામ હોમ આઇસોલેશનમાં છે, એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. કોવિડ હોસ્પિટલ બંધ કરવા અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે સમર્થન આપ્યું હતું.
મહત્વનું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ શુક્રવારે કોરોનાને લઈને મોટી રાહત આપી છે. WHOએ કહ્યું કે, કોવિડ હવે પબ્લિક હેલ્થ ગ્લોબલ ઈમરજન્સી નથી. તે બાદ નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, હાલ સુરત સિટીમાં 64 એક્ટિવ કેસ છે. તમામ દર્દીઓ હોમ આઇસોલસનમાં છે અને એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. ગતરોજ સુરતમાં 5 કેસ સામે આવ્યા હતા અને 18 દર્દી સાજા થયા હતા.
આ પણ વાંચો : જામનગર : સેતાવાડમાં મકાન જમીનદોસ્ત થતાં દોડધામ, મોટી જાનહાની ટળી