રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ઉમેદવારોને પેપર લાંબુ લાગ્યું હતું અને તેમાં સમય ઘટ્યો હોવાનું જણાયુ હતું. મહીસાગરથી પેપરમાં છબરડો થયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે.
મહત્વનું છે કે, મહિસાગર જિલ્લાની મુનપુર આર્ટ્સ કોલેજમાં તલાટીના પેપરમાં છબરડા થયો હોવાનું જાણવા મળ્યું છે. તલાટીના પેપરમાં OMR સીટના નંબરમાં છબરડો થયો છે. તલાટીના પેપરમાં OMR સીટનો નંબર અને ઉમેદવારનો બેઠક નંબર અલગ અલગ હોવાનું સામે આવ્યું છે.
ત્યારે તંત્રની ગંભીર બેદરકારીભરી ભૂલને કારણે 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. નંબરમાં ભૂલ હોવાને કારણે બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, 4 કલાકની કાર્યવાહી બાદ બંને વિદ્યાર્થીને જવા દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરતમાં ગુનાખોરીના ગ્રાફને અંકુશમાં લાવવા વીંઝાયો પાસાનો કોરડો