વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર એપલ હેકિંગનો દાવો કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini vaishnav)એ આ દાવાઓને ફગાવી દઈને જવાબ આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે એપલ હેકિંગ (Apple hacking) કેસની તપાસના આદેશ આપવામાં આવ્યા છે
કેન્દ્ર સરકારે મંગળવારે Apple આઈફોન હેકિંગના વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિન વૈષ્ણવે પણ કહ્યું કે આરોપોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.અશ્વિન વૈષ્ણવે કહ્યું કે કેટલાક સહકર્મીઓએ એપલ એલર્ટ વિશે મેસેજ આપ્યા છે, આવી સ્થિતિમાં અમે મામલાના તળિયે જઈશું. વિપક્ષના આરોપો પર તેમણે કહ્યું કે, અમારા કેટલાક ટીકાકારો છે જે હંમેશા ખોટા આરોપો લગાવે છે. તેઓ દેશની પ્રગતિ નથી ઈચ્છતા. એપલે 150 દેશોમાં એડવાઈઝરી જારી કરી છે. એપલે અનુમાનના આધારે મેસેજ મોકલ્યો છે. એપલે તેની સ્પષ્ટતા જાહેર કરી છે.
#WATCH | On Apple’s ‘state-sponsored attack’ message to some Opposition members, Union Minister for Communications, Electronics & Information Technology Ashwini Vaishnaw says, “The government is concerned about this issue and it will go to the bottom of it. There are some… pic.twitter.com/32B3DYYheX
— ANI (@ANI) October 31, 2023
વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો આરોપ લગાવ્યો હતો અને Apple દ્વારા મળેલા ચેતવણી સંદેશને શેર કરીને સરકારની ટીકા કરી હતી, ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે તેઓ સરકાર પર આવા હેકિંગના આરોપ લગાવે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમારા કેટલાક ટીકાકારો છે જે હંમેશા ખોટા આરોપો લગાવે છે. તેઓ દેશની પ્રગતિ ઈચ્છતા નથી. તેમણે વધુમાં કહ્યું કે એપલે 150 દેશોમાં એડવાઈઝરી જાહેર કરી છે એપલે અનુમાનના આધારે મેસેજ મોકલ્યો છે અને કંપનીએ તેની સ્પષ્ટતા જાહેર કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ મામલે સરકારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સંદેશમાં શું છે?
તે કહે છે કે “સરકારી પ્રાયોજિત હુમલાખોરો દૂરથી તેના iPhone સાથે ચેડા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.તમે કોણ છો અથવા તમે શું કરો છો તેના કારણે આ હુમલાખોરો કદાચ તમને વ્યક્તિગત રીતે નિશાન બનાવી રહ્યા છે.
એપલે શું કહ્યું?
હેકિંગના દાવાઓ પર, એપલે કહ્યું, અમે ધમકીની ચેતવણીનું કારણ શું છે તે વિશે માહિતી આપી શકતા નથી કારણ કે તે રાજ્ય દ્વારા પ્રાયોજિત હુમલાખોરોને છટકી જવા માટે મદદ કરી શકે છે.ધમકીની ચેતવણી કોઈ ચોક્કસ રાજ્ય-પ્રાયોજિત હુમલાખોરને આભારી હોઈ શકતી નથી.હુમલાખોરો આર્થિક અને તકનીકી રીતે શક્તિશાળી છે, અને હુમલાઓ ઘણીવાર સંપૂર્ણ રીતે શોધી શકાતા નથી, કંપનીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો-VIDEO : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી