અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ
સંત ધારે તો સંસારમા ક્રાંતિ લાવી શકે એનું જીવંત ઉદાહરણ અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજએ આજે સત્તાપર ગામે પુરુ પાડ્યું છે. એક મહિના પૂર્વે સત્તાપર ગામે યોજાયેલ વૃજપ્રભાવ ગ્રંથ ભાગવત કથા દરમ્યાન સચ્ચીદાનંદ સંપ્રદાયનાં મહંત ત્રિકમદાસજી મહારાજે પોતાના સેવકોને વ્યાસપીઠ પરથી એવો માર્મિક આગ્રહ કરેલ કે કૃષ્ણનાં વંસજો એવા આપણે સૌ આહીરકૂળમા જન્મ લઇને ગાયો માટેની ગૌચર જમીન પર દબાણ કરીએ એ કેટલું ખોટું કહેવાય આથી મહેરબાની કરીને જેમણે પણ ગૌચર જમીન પર થોડુ ઘણુ પણ દબાણ કર્યું હોય તેં ધીરે ધીરે આ દબાણ દુર કરીને ગાયો માટે ગૌચર ખુલ્લી કરે. આગળના સમયમાં આપણા વડીલો ગૌચર માટે પોતાના ખેતર દાનમાં આપતા એ ન ભૂલવું જોઈએ.
ગૌચર માટે ગામે ગામ જમીનો ખુલ્લી કરવા મહારાજએ આહવાન કરતા સત્તાપર ગામના સમસ્ત ગ્રામજનો સાથે મળીને એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય લઇને સર્વાનુમતે નક્કી કર્યું કે ગામની પાસે આવેલ રોડ ટચ એવી 11 એકર જેટલી જમીન કે જેનાં ઉપર વડીલો ખરવાડ (ખરા ) તરીકે ઉપયોગ કરતા હતાં, તેને બધાં સાથે મળીને કબજા મુકત કરીને ગૌશાળા માટે દાન કરી દે, આજના સમયમાં જ્યારે લોકો એક એક ઇંચ જમીન માટે ઝગડા કરતા હોય ત્યારે સત્તાપર ગામની ગૌપ્રેમી જનતાનો આ નિર્ણય સલામ કરવા લાયક છે.
આવા કાર્યની નોધ સમગ્ર ગુજરાત રાજ્યએ નોધ લેવી જોઈએ અત્યારે સરકાર ગૌચર જમીન ખુલ્લી કરવા માટે વહીવટી તંત્ર ને કેટલી મહેનત કરવી પડતી હોય છે પરતું આવા કાંતિકારી સંત ત્રિકમદાસજી મહારાજની એક શબ્દથી સમગ્ર સતાપર ગ્રામજનો એ શબ્દ દરેકમાં જીવનમાં ઉતારી અને કીમતી જમીન ગાયો માટે ખુલ્લી કરાવી છે.