Home » 2023-2024 માટે અનાજ ભેગું કરી રાખજો નહીં તો…
2023-2024 માટે અનાજ ભેગું કરી રાખજો નહીં તો…
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
371
જો તમને ખબર પડે કે કોરોનાકાળથી પણ ખતરનાક સમય આવવાનો છે તો? થોડીવાર માટે તો તમે પણ ડરી જશો. તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમા પરબધામના કરસનદાસ બાપુ આગામી સમયની ભવિષ્યવાણી કરતા એવી વાતો કહી રહ્યા છે જે જાણી તમારા પગ નીચેથી જમીન ખસી જશે.
કોરોનાકાળમાં સમગ્ર વિશ્વના લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. આ સમયની વાત પણ લોકો હવે ભૂલવા માગે છે જ્યારે ઘણા એવા લોકો છે કે જે આ ખરાબ સમયને ભૂલવા માગે છે છતા ભૂલી શકતા નથી. ત્યારે જો ખબર પડે કે આવનારા બે વર્ષમાં પણ મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે? જીહા, તાજેતરમાં પરબધામના કરસનદાસ બાપુએ આગામી 2023 અને 2024 માટે એક એવી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થશે તો મોટી સંખ્યામાં લોકો મૃત્યુને મુખમાં જઇ શકે છે. જાણો શું કહ્યું પરબધામના કરસનદાસબાપુએ…
પરબધામના કરસનદાસ બાપુનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા તેઓ કહી રહ્યા છે કે, હું તમને લોકોને માત્ર તેટલું જ કહેવા માગુ છું કે, તમે આ વર્ષે કઇ પણ કરીને અનાજનો સંગ્રહ કરી રાખજો. જો અન્ન તમારી પાસે સંગ્રહ કરેલું નહીં હોય તો વર્ષ 2023-24 મા 6 અબજ લોકો અન્ન વિના મોતને ભેટી જશે. તેમનું કહેવું છે કે, આ સમયે પૃથ્વી પર અનાજ જ નહીં હોય. તેમણે આગળ કહ્યું કે, આ મહામુસિબતથી બચવું હોય તો તમારે એક વિગામાં બાજરો વાવી લેવો જોઇએ. આ સાથે તેમણે એક વિગા જાર વાવવાની પણ વાત કહી. તે સમય આટલું કરવું તમારા માટે જરૂરી રહશે. તેમણે કહ્યું, ખાલી બાજરાને પાણીમાં પલાડી તેને એક ખોબો ભરીને ખાઇ લેજો તો પણ તમારું પેટ ભરાઇ જશે. તેમણે આગળ કહ્યું કે, આવા જ દિવસો આવવના છે. આ અંગે તેમણે પંડિતોને પણ ચેતવ્યા અને કહ્યું કે, પંડિતો હું તમને પણ કહું છું કે તમે પણ અનાજનો સંગ્રહ કરવાનું રાખજો. કારણ કે તમારા જે નૈતિક કાર્યો છે તે જો પ્રજા પાસે પૈસો હશે તો કથા, રામાયણ, અનુષ્ઠાનો કરાવશે જો તેમની પાસે જ કઇ નહીં હોય તો તે તમને શું આપશે. તેમણે ફરી એકવાર કહ્યું કે, અન્ન વિના સમગ્ર વિશ્વમાં 6 અબજ લોકો મૃત્યુ પામશે.
જુઓ આ Video
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ આપણે સૌ કોઇએ જોયો છે. તે સમય કેટલો ખરાબ હતો તેના વિશે યાદ કરવા માત્રથી આપણી આખમાં પાણી આવી જાય છે. ત્યારે 2023-24 ને લઇને પરબધામના કરસનદાસ બાપુની ભવિષ્યવાણીએ લોકોને એકવાર ફરી તે સમયની યાદ અપાવી દીધી છે. જોકે, આ પહેલા પણ તેમણે એક ભવિષ્યવાણી કરી હતી જેમા તેમણે કહ્યું હતું કે, હવે આ અંતિમ સમય છે, 2019નો સૂર્ય અસ્ત થશે અને 2020ની સદીનો ઉદય થશે. ત્યારે અનેક દુર્ઘટનાઓ થશે જેની કલ્પના નહીં કરી હોય. જેમાં સમુદ્રની સુનામી, સુર્યની સુનામી, વાવાઝોડા, ધરતીકંપ, લાવા જેવી દુર્ઘટનાઓ બનશે. 2020માં એવો વાયરસ આવે છે જે મહામારી લાવશે. આ ભવિષ્યવાણી સાચી સાબિત થઇ હતી. ત્યારે એકવાર ફરી તેમના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject