IPL 2022ની ફાઈનલને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા
છે. IPL
2022ની ફાઈનલ મેચ ગુજરાતના અમદાવાદમાં રમાડવામાં આવશે. આ સાથે સાથે પ્લેઓફને લઈને
મહત્વની માહિતી સામે આવી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે આ સિઝનના
પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી
સ્ટેડિયમમાં રમાશે. BCCI સેક્રેટરી જય શાહે સમાચાર એજન્સી ANI ને જણાવ્યું છે કે IPL 2022ના પ્લેઓફ કોલકાતા
અને અમદાવાદમાં યોજાશે. મેગા ફાઇનલ 29 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ક્વોલિફાયર 2 પણ યોજાવાની છે. આ
સિવાય ક્વોલિફાયર 1 અને એલિમિનેટર
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે, જે 24-25 મેના રોજ યોજાશે.
(File pic) pic.twitter.com/a8vyNAhZPB
— ANI (@ANI) May 3, 2022 ” title=”” target=””>javascript:nicTemp();
આ સિવાય જય શાહે
માહિતી આપી છે કે આ વર્ષે ફરી મહિલા ટી-20 ચેલેન્જ પણ શરૂ થઈ રહી છે. જે પુણેમાં યોજાવાની
છે. પહેલા એવી માહિતી હતી કે તે લખનૌમાં હશે. પરંતુ હવે તેનું સ્થળ બદલવામાં આવ્યું છે. આ
ટુર્નામેન્ટ 23 થી 26 મે સુધી ચાલશે
જ્યારે ફાઈનલ 28 મેના રોજ યોજાશે.
BCCI announces IPL playoff venues, Women’s T20 challenge schedule
Read @ANI Story | https://t.co/w1JyGQ5Hop#BCCI #IPL2022 #WomensT20Challenge pic.twitter.com/DjtcDRjGvU
— ANI Digital (@ani_digital) May 3, 2022 ” title=”” target=””>javascript:nicTemp();
તમને જણાવી દઈએ કે
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જ્યાં એક લાખથી વધુ
લોકોના બેસવાની વ્યવસ્થા છે. આઈપીએલની લીગ મેચો 22 મે સુધી રમવાની છે. ત્યારબાદ પ્લેઓફ શરૂ
થશે. આ વખતે કોરોનાના
કારણે સમગ્ર આઈપીએલનું આયોજન મુંબઈ-પુણેમાં કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં
પ્લેઓફનું આયોજન અલગ-અલગ મેદાન પર કરવામાં આવી રહ્યું છે. આ માટે કોલકાતા અને
અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. જે દેશના સૌથી મોટા સ્ટેડિયમ છે. એવું માનવામાં
આવે છે કે પ્લેઓફ માટે BCCI નિયમોમાં રાહત આપશે અને 100 ટકા દર્શકોને આવવા દેવામાં આવશે.