ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Visavadar by-Election : વિસાવદર બેઠક પર ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો, હવે 16 વચ્ચે ચૂંટણી જંગ, જાણો કારણ

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી પર હવે કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.
05:31 PM Jun 05, 2025 IST | Vipul Sen
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી પર હવે કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.
Gujarat by Election Gujarat First
  1. વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં 3 ફોર્મ પરત ખેંચાયા (Visavadar by-Election)
  2. હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે જામશે ચૂંટણીનો જંગ
  3. સિહોરનાં પતિ-પત્નીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું
  4. કલ્પનાબેન અને અનિલ ચાવડાએ અપક્ષમાંથી ફોર્મ પરત ખેંચ્યું
  5. દલસુખ હિરપરાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેચ્યું

Visavadar by-Election : જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પેટાચૂંટણી માટે ભરાયેલા ફોર્મ પૈકીનાં 3 ફોર્મ પરત ખેંચાયા છે. આથી, હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. સિહોરનાં પતિ-પત્ની અને અન્ય એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવારોની સંખ્યા 16 થઈ છે.

આ પણ વાંચો - Visavadar by-Election : BJP ઉમેદવાર કિરીટ પટેલના AAP પર પ્રહાર, કહ્યું- 400 કરોડનાં શીશ મહેલમાં..!

સિહોરનાં પતિ-પત્ની અને અન્ય એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી પર હવે કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. આ પહેલા ઉમેદવારોની સંખ્યા 19 હતી. જો કે, 3 ઉમેદવારોએ કોઈ કારણસર ફોર્મ પરત ખેંચી લેતા ઉમેદવારોની સંખ્યા 16 એ પહોંચી છે. માહિતી અનુસાર, સિહોરનાં પતિ-પત્ની અનિલ ચાવડા અને કલ્પનાબેન ચાવડાએ અપક્ષમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. આ ઉપરાંત, દલસુખ હિરપરાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેચ્યું છે. સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યાનો આ ત્રણેય ઉમેદવારોએ દાવો કર્યો છે. જો કે, ફોર્મ પરત ખેંચાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Arjun Modhwadia : રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાએ કસ્યો તંજ! કહ્યું- ઘોડેસવાર જ રેસનાં ઘોડાને..!

15 ઉમેદવારથી વધુ ઉમેદવાર હોવાથી 2 બીયુનો ચૂંટણીમાં ઉપયોગ

જણાવી દઈએ કે, ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. 15 ઉમેદવારથી વધુ ચૂંટણી મેદાનમાં હોવાથી હવે 2 બીયુનો ચૂંટણીમાં ઉપયોગ થશે. વિસાવદર બેઠક પર પેટાચૂંટણી (Visavadar Assembly by-election) માટે 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને પરિણામ 23 મી જૂને જાહેર કરાશે. અગાઉ ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી દરમિયાન કુલ 19 ફોર્મ માન્ય રખાયા હતા.

આ પણ વાંચો - Dwarka : ગોમતી નદીમાં એક સાથે 7 યાત્રિકો ડૂબ્યાં, નાની ઉંમરની યુવતીનું મોત

Tags :
AAPBJPCandidate FormsCongressGUJARAT FIRST NEWSGujarat PoliticsJunagadhKirit PatelPrajashakti Democratic PartyTop Gujarati NewVisavadar Assembly by-Election
Next Article