અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરામાં મૃત વ્યક્તિને જીવિત બતાવી તેની અંદાજીત એક કરોડની ખેતીલાયક જમીનના વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા હોવાનું ષડયંત્ર બહાર આવ્યું છે.ખેતીલાયક જમીનના વેચાણ દસ્તાવેજ કર્યા બાદ આ જમીન બિન ખેતી કરવા અંગેની પ્રક્રિયા ચાલી રહી હોવાની બે અરજદારોએ કલેકટરને રજુઆત કરી હતી જેની તપાસમાં આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થતાં સબ રજીસ્ટ્રાર દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે દશ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.ઉલ્લેખનીય છેકે જમીનના મૂળ માલિકનું ૩૫ વર્ષ અગાઉ નિધન થયું હતું અને ત્યારબાદ જમીન પડતર હાલતમાં જોવા મળતાં જમીન હડપ કરી લેવા ખોટી વ્યક્તિ ઉભી કરી સરવે નંબર ૫૧૪ અને ૫૧૫ ના વેચાણ દસ્તાવેજો કરી લેવાયા હતા.બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં જે મૃત વ્યક્તિના નામે જીવિત બતાવી ઉભા કરાયેલા ડોક્યુમેન્ટના સરનામાવાળી જગ્યાએ હાલ એવી કોઈ વ્યક્તિ જ નહીં હોવાનું જાણવામાં આવ્યું .
ગોધરામાં કલેક્ટરને ગોધરા કસ્બાના રેવન્યુ સરવે નંબર ૫૧૪ અને ૫૧૫ ની ખેતીની જમીન જે રેવન્યુ રેકર્ડમાં શ્રીપતરાવ દત્તાત્રેય મજમુદારના નામે ચાલે છે અને જેઓનું મૃત્યુ તા.૦૨-૧૨-૧૯૮૪ માં થયું હતું અને જેના વર્ષો વીતી ગયા પછી દાવલા નિશાર એહમદ ફીરોજ તથા યાયમન સાદીક સુલેમાનને સરવે નંબર ૫૧૪ ની જમીન અને સરવે નંબર ૫૧૫ ની જમીનનું વેચાણ હયાત ઈરફાન બિલાલ અને કલંદર અબ્દુલ રઝાક એહમદ સઈદ ને થયેલ છે.આ બંન્ને દસ્તાવેજો શ્રીપાદ દત્તાત્રેય મુકાદમ ઉર્ફે મજમુદારના નામ થી કોઇ અજાણ્યા વ્યક્તિને બોલાવી ખોટા દસ્તાવેજો કરી ખુબ જ મોટું ફ્રોડ કરવા સાથે આ જમીનની એન.એ કરવા માટેની ફાઇલોની પ્રક્રીયા ચાલી રહી છે એવી રજુઆત કરવામાં આવી હતી.
આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જમીન તકેદારી સમિતિ માં આ કેસ લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત આ કેસની તકેદારી આયોગ ને કરાયેલી અરજી અન્વયે પણ તપાસ ચાલી રહી હતી.બીજી તરફ પંચમહાલ જીલ્લા પોલીસવડા દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ હેઠળ આ બંન્ને અરજીઓની તપાસ ગોધરા ડીવાયએસપીના માધ્યમથી કરાવવામાં આવી હતી.આ સમગ્ર તપાસ દરમિયાન ગોધરા કસ્બાની ખેતીની જમીન રેવન્યુ સરવે નંબર ૫૧૪ તથા સરવે નંબર ૫૧૫ ની જમીનના સાચા માલીક શ્રીપાદ દત્તાત્રય મુકાદમ ઉર્ફે મજમુદાર હતા. જમીનના રેવન્યુ રેકર્ડ ગામ નમુના નં.૭ માં તેઓનુ નામ શ્રીપતરાવ દત્તાત્રયરાય મજમુદાર તરીકે લખાયેલ હતું.તેઓની ગોઘરા કસ્બા ના સરવે નંબર .૩૦૬ ની જમીનનો વર્ષ ૧૯૭૯માં વેચાણ દસ્તાવેજ કર્યો હતો જેમાં દર્શાવવામાં આવેલી વિગતમાં તેઓ નું મૃત્યુ વડોદરા મુકામે વર્ષ ૧૯૮૪ ના રોજ થયું હતું જેની નોંધ વડોદરા મહાનગરપાલીકા કરવામાં આવી હતી.જેથી સરવે નંબર ૫૧૪ અને ૫૧૫ ની જમીનમાં સાચા જમીન માલીકના મૃત્યુ ના અંદાજીત ૩૫ વર્ષ બાદ આ જમીન પચાવી પાડવા ના આશય થી અસ્લમ જરગાલ નામ ના વ્યક્તિ એ નરેનભાઇ પ્રકાશભાઇ ભટ્ટ, વકિલ મનીશ પંચાલ રહે વડોદરા અને ખોટા જમીન માલીકે શ્રીપતરાવ દત્તાત્રયરાવ (પાન કાર્ડ મુજબ સરનામુ: રસુલાબાદ તા.વાઘોડીયા જિ.વડોદરા) સાથે સરવે નંબર ૫૧૪ ની જમીન ખરીદનાર યાયમન સાદીક સુલેમાન અને દાવલા નિસાર એહમદ ફીરોજ ની સાથે મુલાકાત કરાવી અને સરવે નંબર ૫૧૫ ની જમીન ખરીદનાર હયાત ઈરફાન બિલાલ તથા કલંદર અબ્દુલરઝાક એહમદ સઇદ સાથે કરાવી જમીન વેચાણ નું નક્કી કર્યુ હતુ.એવી જ રીતે કોઇ અજાણ્યા વ્યક્તિ ને શ્રીપતરાય દત્તાત્રેયરાવ મજમુદાર(રેવન્યુ રેકર્ડમાં લખાતા નામ મુજબ) તરીકે ઉભા કરીને તા.૨૯/૦૫/૨૦૧૭ ના રોજ સબ રજીસ્ટ્રાર કચેરી ગોધરા ખાતે સરવે નંબર ૫૧૪ વેચાણ દસ્તાવેજથી યાયમન સાદીક સુલેમાન ગોધરા અને દાવલા નિસાર એહમદ ફીરોજ ને વેચાણ કરી દીધી છે.આ જમીન વેચાણ રાખનારાઓ એ ત્યાર બાદ ૨૪/૦૬/૨૦૨૦ થી અંધી સાબેરાબીબી અબ્દુલ રઝાક સહિતને વેચાણ કરી છે.જેનાબાદ આ જમીનના ફરી વેચાણ દસ્તાવેજ કરી હતી આમ બંન્ને જમીનો એક જ વ્યક્તિઓ પાસે આવી ગઇ હોવાનું પણ તપાસમાં જણાય આવ્યું હોવાનું સબ રજીસ્ટ્રાર અમિત ડામોર દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં આપવામાં આવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. રજીસ્ટ્રાર દ્વારા ગુનો કરવાની યોજના છુપાવવા, રાજ્ય સેવક ને ખોટી માહિતી પુરી પાડવા , ખોટો પુરાવો આપવા , ખોટો પુરાવો ઉભો કરવા , જે પુરાવો ખોટો હોવાનું જાણવા છતાં તેઓએ તેનો સાચા તરીકે ઉપયોગ કરવા સહિતના મુદ્દાનો સમાવેશ કરાયો છે.
આરોપીઓમાં કોનો કોનો સમાવેશ ??
(૧) શ્રીપતરાવ દત્તાત્રય મજમુદાર, મુ:રસુલાબાદ તા,વાઘોડીયા જિ.વડોદરા (૨) અસલમભાઇ અબ્દુલ સત્તાર જરગાલ (જમીન દલાલ રહે. ધંત્યા પ્લોટ સાતપુલ રોડ મહેદી મસ્જીદની બાજુમાં ગોધરા (૩) નરેન ભાઇ પ્રકાશભાઇ ભટ્ટ રહે,મકાન નં.૩૮ બી એશીયાડૅ નગર કંજરી,હાલોલ ,પંચમહાલ (૪) વકીલ મનીશભાઇ નટવરલાલ પંચાલ રહે,મકાન નં.૩૪૦/૧ વૈકુઠ -૨ ખોડીયાર નગર ની. હરણી કોલોની ન્યુ વી, આઇ. પી. રોડ ,વડોદરા(૫) યાયમન સાદીક સુલેમાન રહે,વેજલપુર રોડ,મોહમદી મસ્જીદ પાસે, મોહમદ સોસાયટી, ગોધરા (૬) દાવલા નિસાર એહમદ ફીરોજ રહે.વેજલપુર રોડ,સીગ્નલ ફળીયા, ગોધરા (૭) હયાત ઇરફાન બિલાલ રહે.ઇદગાહ મહોલ્લા, ગોં દ્રા, ગોધરા (૮) કલંદર અબ્દુલ રઝાક એહમદ સઇદ રહે વેજલપુર રોડ, મોહમદી મસ્જીદ પાસે, મોહમી સોસાયટી, ગોધરા (૯) હયાત સલીમ યાકુબભાઇ રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા ( દસ્તાવેજ ના સાક્ષી) (૧૦) હવાને કાસીમ અબ્દુલ્લા ૨હે, ઇદગાહ મહોલ્લા ગોધરા ( દસ્તાવેજ ના સાક્ષી)નો આરોપીમાં સમાવેશ કરાયો છે.