અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ
ભુજ શહેરમાં બુધવારે નગરપાલિકા કચેરીમાં ડમ્પીંગ સ્ટેશનમાં ગાયના મોત મામલે 15 થી 20 વ્યક્તિઓના ટોળાએ પાલિકા કચેરીમાં ઘૂસી જઈને નગરપતિ ઘનશ્યામ ઠક્કર અને પાલિકાના કર્મચારીને માર માર્યો હતો આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે નગરપતિ ઘનશ્યામ ઠક્કરને માર મારવાના બનાવમાં સમગ્ર જિલ્લાના લોહાણા સમાજ દ્વારા જુદા જુદા સ્થળોએ આવેદન પત્ર પાઠવીને મારનારા વ્યક્તિ સામે પગલા ભરવા માંગ કરી હતી
બીજી તરફ ભુજ નગરપાલિકા કર્મચારી સંઘ દ્વારા નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે ગાયના મોત મામલે પાલિકા કચેરીમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે ઘૂસી જઈને નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર અને કર્મચારીને માર માર્યો હતો. એક વાત ચોક્કસ છે કે પાલિકાના કર્મચારીઓ સુરક્ષિત નથી ત્યારે જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી ભુજ નગરપાલિકાની તમામ કામગીરી બંધ રાખવામાં આવશે શુક્રવારે પાલિકાની તમામ સેવાઓ બંધ રહેશે તેવી ચીમકી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે બીજી તરફ નગરપાલિકા કચેરીની કામગીરી તમામ બંધ રહેશે તો ગટર પાણી લાઈટ સફાઈ ની કામગીરી પર અસર પડશે તેમજ લોકોને પણ પારાવાર હાલાકી નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામશે