એર ઈન્ડિયા(AIr India) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) કેમ્પબેલ વિલ્સને શુક્રવારે જણાવ્યું હતું કે કંપનીએ 470 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે અને તેને આગામી 18 મહિના સુધી દર છ દિવસે એક નવું એરક્રાફ્ટ મળશે. “અમારી પાસે નવા એરક્રાફ્ટ છે, અમે ઘણા નવા ક્રૂ અને સ્ટાફની ભરતી કરી રહ્યા છીએ, તાલીમ પ્રણાલીમાં સુધારો કરી રહ્યા છીએ અને હજુ પણ વધુ કામ કરવાનું બાકી છે અને અમે સારી પ્રગતિ કરી રહ્યા છીએ.
સત્રમાં વિલ્સને જણાવ્યું હતું કે એર ઈન્ડિયાના મોટાભાગના ગ્રાહકો વિશ્વસનીયતા અને સમયની પાબંદી ઈચ્છે છે અને ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવાનો અમારી સામે પડકાર છે. વિલ્સને કહ્યું કે આ ઉપરાંત, નવા એરક્રાફ્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર તૈનાત કરવામાં આવી રહ્યા છે અને મોટાભાગના ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટને સેવામાં લાવવામાં આવ્યા છે.
ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ આઠ ટકાના સંચિત વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)થી વૃદ્ધિ પામતા ભારતીય અર્થતંત્રને સેવા આપવા માટે 470 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે અને આગામી 18 મહિનામાં દર છ દિવસે એક નવું એરક્રાફ્ટ ખરીદવાનું લક્ષ્ય રાખ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. . વિલ્સને અન્ય એરલાઇન્સ સાથે સ્પર્ધા કરવા અને એર ઇન્ડિયા માટે ટ્રાફિક વધારવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Diwali Festival : જો સસ્તામાં ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી કરવા માંગો છો તો કરો ફક્ત આટલું…