Download Apps
Home » કોંગ્રેસ પાર્ટી પર ચૌતરફો પ્રહાર, હવે ભાજપ નેતા ભરત બોઘરાએ પણ લીધી ઝાટકણી

કોંગ્રેસ પાર્ટી પર ચૌતરફો પ્રહાર, હવે ભાજપ નેતા ભરત બોઘરાએ પણ લીધી ઝાટકણી

લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકીય નેતાઓના વિવાદાસ્પદ નિવેદન (Controversial Statements) નો સીલસીલો યથાવત છે. પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) થી શરૂ થયું તે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સુધી પહોંચ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) પોતાના ચૂંટણી ભાષણોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ રાહુલ ગાંધી તાજેરમાં કઇંક એવું બોલી ગયા છે કે, જેથી તેમના પર રાજપૂત સમાજ (Rajput community) નારાજ જોવા મળી રહ્યો છે. તેમના નિવેદન બાદથી ભાજપના નેતાઓ પણ હવે આક્રમકરૂપમાં આવી ગયા છે. રાહુલ ગાંધીના નિવેદન પર હવે ભાજપ નેતા ભરત બોઘરા (Bharat Boghara) એ પણ શાબ્દિક પ્રહાર કર્યો છે.

ભાજપ નેતાનો કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક પ્રહાર

રાજકોટથી શરૂ થયેલો ક્ષત્રિયો વિશેનો વિવાદાસ્પદ ટિપ્પણીનો સીલસીલો હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં કહ્યું હતું કે, ‘પહેલા દેશમાં રાજા-મહારાજાઓનું રાજ હતું. તેઓ જે મનમાં આવે તેમ કરતા હતા. જો કોઈની જમીનની જરૂર હોય તો તે બળજબરીથી લઈ લેતા હતા.’ આ નિવેદન બાદથી તેમના પર ચૌતરફી શાબ્દિક હુમલા થઇ રહ્યા છે. હવે આ અંગે ભાજપના નેતા ભરત બોઘરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પોતાની માનસિકતા રજૂ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની ચિંતા નથી, તેમણે શાંતિ ડોહળવાના સતત પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીની દેશ વિરોધી માનસિકતાને હવે દેશની જનતા સારી રીતે જાણી ગઇ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પોતાનો શાબ્દિક પ્રહાર કરતા તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી રાજા-રજવાડાઓનું અપમાન કરે છે. જ્યારે રાજા-રજવાડાઓએ તો પોતાની સંપત્તિ દેશ માટે સમર્પિત કરી હતી. ખબર નહીં કોંગ્રેસ આવું કરી કોને ખુશ કરવા માંગે છે. આ પાર્ટી તૃષ્ટીકરણની રાજનીતિથી સત્તામાં આવવા માંગે છે.

રાજપૂત સમાજમાં ભારે આક્રોશ

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેસાયો છે. આ નિવેદન બાબતે રાજપૂત સમાજનું કહેવું છે કે, ‘શું રાહુલ ગાંધી પહેલાના રાજાઓને તાનાશાહ માને છે? રાજપૂત સમાજના રાજાઓએ હંમેશા પોતાની પ્રજાના હિતમાં કાર્યો કર્યા છે. તેમની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું છે. તેવામાં રાહુલ ગાંધીનું આ નિવેદન નિંદનીય છે.’

વિશેષ જાણકારી માટે જુઓ નીચે આપેલો Video

આ પણ વાંચો – રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું…

આ પણ વાંચો – Kshatriya Samaj : સુરેન્દ્રનગર અને આણંદમાં ક્ષત્રિય મહિલાઓએ પારણા કરતાં ઉપવાસ આંદોલન પૂર્ણ

જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?