અહેવાલ – રીમા દોશી
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસન સપ્તાહમાં એક વખત અધિકારીઓ સાથે વીકલી રીવ્યુ મીટીંગ લેતા હોય છે, જ્યારે આ સપ્તાહની બુધવારના રોજ મળેલી મિટિંગમાં કમિશનરે 25 ડિસેમ્બર સુધી રોડના કામ પૂર્ણ કરવા સૂચન કર્યું, સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત ને ધ્યાને રાખીને શહેરને લગતા જરૂરી સૂચનો કર્યા.
2019 બાદ 2024 માં જ્યારે વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે આ વાઇબ્રન્ટ સમિટમાં આવનારા લોકો દેશના પાટનગરની સાથે સાથે અમદાવાદ શહેરને પણ નિહાળવાના છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોઈ પ્રકારની કમી ન રહે તે પ્રકારનું સૂચન કમિશનર દ્વારા આજની મિટિંગમાં કરવામાં આવ્યું.
આ પણ વાંચો — ભરૂચ શહેરમાં અજવાળું કરવા વિપક્ષીઓ અને આરટીઆઈ એક્ટિવિસ્ટોનો અનોખો વિરોધ