આજરોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના તારીખ 01-10-2023 ના રોજ એક કલાક શ્રમદાન થકી સ્વચ્છતાનાં અભિયાન અનુસંધાને અને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કમાણા ચાર રસ્તાથી કડાં ત્રણ રસ્તાના જાહેર માગઁ અને યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસમા એન. એસ. એસ. યુનિટ,સ્ટાફ તેમજ વિસનગર નગરપાલિકાના કોર્પોરેટર, કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમા જોડાયા હતા.
આ અભિયાનમાં યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ જણાવ્યું હતું કે આપણે સૌએ હંમેશા સ્વચ્છતા જાણવી આપણી આસપાસ બાળકોને પણ આબાબત્તે આગઁહી રાખવા જોઈએ.આપણા દેશના પિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તેમના ઉદ્દગાર મુજબ “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના અનુગા્હી રહી દેશને સ્વચ્છ અને સ્વસ્થ રાખવો જોઈએ. તથા યુનિવર્સિટીના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ જુદી જુદી ટીમો બનાવી યુનિવર્સિટીના જુદા વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી એક અનેરો ઉત્સાહ પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવાય અને દરેક વિદ્યાર્થી એક સારો નાગરિક બની સમાજને તેમજ દેશને મદદ રૂપ થશે. આ કાર્યક્રમને અનુસંધાને શ્રી પ્રકાશભાઈ પટેલ વિદ્યાર્થીઓ તેમજ સફાઈ કર્મચારી બહેનોને દરરોજ યુનિવર્સિટી કેમ્પસ સ્વચ્છ અને સુંદર રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad : સ્પાના વિવાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું… Video