Home » Bharuch : ભારે પૂરથી થયેલ તારાજી વચ્ચે પેકેજ વળતર વધારવાની માંગ
Bharuch : ભારે પૂરથી થયેલ તારાજી વચ્ચે પેકેજ વળતર વધારવાની માંગ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
147
અહેવાલ—દિનેશ મકવાણા, ભરુચ
ભારે ઊહાપોહ અને હોબાળા બાદ વરસાદના કારણે અને પૂરના પાણીમાં ખેતીના પાકમાં નુકસાન થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. પણ તે અપૂરતું હોવાનું ખેડૂતો જણાવી વધારવા માટેની માંગ કરી ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ગજવી હતી અને પૂર માનવસર્જિત હોવાના બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો.
કલેક્ટર કચેરીમાં આવેદન
ગત તારીખ 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદાજિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે. ખેડૂતોના ખેતરોમાં પૂરના પાણી ભરાતા ઉભા પાકો નષ્ટ થઈ ગયા હતા અને ભારે હોબાળા બાદ સરકારે જાહેર કરેલ રાહત પેકેજને ખુબ જ ઓછું હોવાનું જિલ્લાના ભરૂચ,અંકલેશ્વર, હાંસોટ અને ઝઘડિયા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ રાહત પેકેજથી ખેડૂત બેઠો પણ થઈ નહી શકે અને સરકાર દ્વારા 33 ટકાની અને 2 હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે જેના પગલે ખેડૂતોએ પણ રાહત પેકેજ વધારવાની માંગણી સાથે નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત હોવાના આક્ષેપ વાળા બેનરો તેમજ ખેડૂતોએ ન્યાયની આશાઓના બેનરો ના સૂત્રોચાર સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી
પેકેજ વળતર વધારવાની માંગ
ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કલેકટર કચેરીમાં જ વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પેકેજ વળતર વધારવાની માંગ કરી હતી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject