અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ
અમદાવાદના શાહીબાગ સર્કીટ હાઉસ ખાતે કઠોળ અને ખાધતેલના વેપારીઓ સાથે શહેરના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે બેઠક યોજી હતી. અમદાવાદ શહેરના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયત્રંક જશવંત જેગોડા તેમજ નાયબ અન્ન નિયત્રંક મૃણાલદેવી ગોહિલ સાથે મદદનીશ પુરવઠા નિયામકો આ બેઠકમાં હાજર રહ્યા હતા.
વર્તમાન સમયમાં ખુલ્લા બજારોમાં ભાવ કાબુમાં રહે અને સરળતાથી કઠોળ સહિત ખાધતેલનો જથ્થો મળી રહે તે પ્રમાણે સ્ટોક જાળવી રાખવાની તાકીદ પુરવઠા વિભાગે કરી હતી. અમદાવાદ શહેરના જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા તેમજ ખાધતેલના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને વિભાગ સાથે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પુરવઠા વિભાગ પાસેથી મેળવીને સમયસર સરકારના પોર્ટલ પર તમામ સ્ટોક હોલ્ડરોનું રજીસ્ટ્રેશન કરાવવા અંગેની પધ્ધતિઓનું માર્ગદર્શન મેળવીને નોંધણી કરાવવા અંગેની ખાતરી પુરવઠા વિભાગને આપવામા આવી હતી.
આજ રોજ યોજાયેલી બેઠકમાં અમદાવાદ શહેરના કઠોળ અને તેલીબિયાં ના જથ્થા બંધ વેપારીઓ હાજર રહ્યા હતા. જેમાં વેપારીઓની નોંધણી તથા નિયમિત જથ્થો જાહેર કરવામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરી વિગતવાર સૂચનાઓ આપવામાં આવી.