Surat News: AAP ના 12 પક્ષપલ્ટુ નગરસેવકો (Corporator)ને નોટિસ(Notice) ફટકારવામાં આવી છે. સુરત(Surat)માં લોભલાલચમાં પ્રજાદ્રોહ કરનારા AAPના 12 પક્ષપલ્ટુ કોર્પોરેટરો (Corporator)નું સભ્યપદ રદ કરવા માટે આપેલી અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. AAP ના 27 પૈકી 12 નગરસેવકો (Corporator) ભાજપ(BJP)માં જોડાયા હતા. જેમાં ન્યાયિક રાહે સૈદ્ધાંતિક રીતે ગેરલાયક ઠેરવવાની માંગ સાથે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
પક્ષપલ્ટુ નગરસેવકોની 16 જાન્યુઆરીએ સુનાવણી
AAP ની અરજીને અન્વયે સરકારના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસમાં હાજર થવા ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે મેયર, મનપા કમિ.,કલેક્ટર, પક્ષપલટુ કોર્પોરેટરો અને અરજદારોને નોટિસ(Notice) ફટકારવામાં આવી છે. સાથે જ તેમને રેકોર્ડ અને પુરાવા સાથે ઉપસ્થિત રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પક્ષપલ્ટુ નગરસેવકોની 16 જાન્યુઆરીએ સુનાવણી થશે.
સુરતના રાજકારણમાં ગરમાવો
AAP ના નગરસેવકોને નોટિસ અપાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક સાથે 12 નગરસેવકોએ રપક્ષપલટો કરતાં ગુજરાતભરમાં તેની ચર્ચા થઇ હતી. હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ નગરસેવકોને નોટિસ અપાતા ચર્ચા શરુ થઇ છે. જે નગરસેવકોને નોટિસ અપાઇ છે તેમને આગામી 16 જાન્યુઆરીએ તેમને જવાબ આપવા બોલાવાયા છે.
આ પણ વાંચો – ભારતમાં ઘૂસણખોરી કરતા નવ લોકોને Surat પોલીસે પકડી પાંજરે પુર્યા
આ પણ વાંચો – Dwarka News : જિંદગી સામે જંગ હારી એન્જલ, ડોક્ટરે મૃત જાહેર કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ