આવનાર 30 ઓક્ટોમ્બરના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન મહેસાણાના ખેરાલુમાં વિવિધ વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાત મુહર્ત કરવા આવી રહ્યા છે. જેને લઇ ભાજપની સાથે સાથે સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે. PM મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા સંબોધશે. તેમજ તેઓ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરશે. હાલ પીએમ મોદીના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવ્યો છે.
મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ખેરાલુમાં PM ના પ્રોગ્રામને લઈને તંત્રએ તૈયારીઓ શરુ કરી દીધી છે. એક લાખ લોકો બેસી શકે તેવો વિશાળ દોમ તૈયાર કરવામાં આવ્યો છે. PM જે સતેજ પરથી સભાને સંબોધન કરવાના છે તેને 20 ફૂટ કરતા વધુ ઊંચું બનાવવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી 10.20 કલાકે અંબાજી પહોંચશે. 10.30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 11.45 કલાકે ખેરાલુ પહોંચશે અને 12 વાગે જનસભાને સંબોધન કરશે 2 વાગે ગાંધીનગર પરત ફરશે અને બાદમાં રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં જ કરશે. ત્યારે 31 મી ઓક્ટોબરે સવારે તેઓ 6.35એ ગાંધીનગરથી કેવડીયા જવા રવાના થશે. સવારે 8 થી 12.30 વાગ્યા સુધી કેવડીયા એકતા પરેડમાં હાજરી આપશે અને 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો : High Court : હુકમ લખીને તૈયાર રખાયેલો છે, માત્ર સહી કરવાની જ વાર છે..!