અહેવાલ – કિશન ચૌહાણ
ગીફ્ટ સિટી ખાતે કામ કરનારા કર્મચારી, અધિકારીઓ અને મુલાકાત લેનારા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી ગીફટ સીટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરાયો છે. મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી આ રાજ્યની રચના થઈ ત્યારથી જ દારૂના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. ગિફ્ટ સિટી સિવાય રાજ્યના અન્ય કોઈ વિસ્તારને આવી છૂટછાટ આપવામાં આવી નથી.
મુખ્યમંત્રીને પોરબંદરના નાગરિકે કરી રજૂઆત
પોરબંદર શહેર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને દેશ વિદેશના હરરોજ હજારો લોકો પોરબંદર શહેરની મુલાકાત લેતા રહે છે, વળી પોરબંદર બરડા પંથક વિસ્તાર અને શહેરના લાખો NIR લોકો ઇંગ્લેન્ડ અમેરિકા કેનેડામાં આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સહિત યુરોપના અનેક દેશમાં સ્થાયી થયા છે. જેઓ વર્ષમાં અવારનવાર પોતાના વતનની મુલાકાત લેતા રહે છે અને જિલ્લાની અર્થવ્યવસ્થામાં મદદરૂપ બને છે પોતાના સગાઈ લગ્ન મૃત્યુ જેવા પ્રસંગ પણ તેઓ અહીજ મનાવવા માટે આવે છે . વળી પોરબંદર શહેર આસપાસ કોઈ મોટા ઉદ્યોગ ધંધાઓ નથી માત્ર સૌરાષ્ટ્ર કેમિકલ હાથી સિમેન્ટ અને ઓરિયન્ટ ફેકટરી છે જે પણ અવારનવાર લોકઆઉટ થાય છે અને પોરબંદર જિલ્લાની અર્થવ્યવસ્થા માત્ર ખેતીવાડી અને ફિશરિઝ આધારિત છે અને NRI આધારિત અર્થવ્યવસ્થા ટુરિઝમ ઉપર આધારિત છે.
પોરબંદર શહેર આસપાસ અન્ય મોટા ધાર્મિક ટુરિઝમ સ્થળ આવેલ છે જેમાં દ્વારિકા સોમનાથ અને જૂનાગઢનો સમાવેશ થાય છે પોરબંદર શહેર સોમનાથ અને દ્વારિકા વચ્ચે આવતું હોવાથી પોરબંદર શહેરમાં મુલાકાતે આવતા લોકો પોરબંદરમાં ભાગ્યેજ રાત્રી રોકાણ કરે છે તેઓ સોમનાથ જૂનાગઢ દિવ અને દ્વારિકામાં રાત્રી રોકાણને પ્રાધાન્ય આપે છે . અહીં આવતા NRI પણ અમુક દિવસ રાત રોકાઇને અન્ય રાજ્યમાં ફરવા જતા રહે છે એ હકીકત છે એટલે પોરબંદર શહેરને જોઈએ એટલો ફાયદો મળતો નથી વળી પોરબંદર આસપાસ ઘણાં મહત્વપૂર્ણ ટુરિસ્ટ પ્લેસ આવેલ છે પણ તે સ્થળોનો જોઈએ એવો પ્રચાર દેશનાં અન્ય રાજ્ય કે વિદેશમાં થયો નથી એ પણ હકીકત છે .
જેમકે જિલ્લામાં 36 મીટર લાંબી 20 કિલોમીટર પહોળી બરડાની નયનરમ્ય પર્વતમાળા અને ત્યાં આશાપુરા મંદિર ઘુમલી રાણપુર જેવા ઐતિહાસિક સ્થળ ત્રિકમજી મહારાજની જગ્યા પોલોપાણો જામવંતીનું ભોંયરૂ ગોપનાથ મહાદેવ તો પોરબંદરમાં નયનરમ્ય ચોપાટી બીચ રંગબાઈ બીચ માધવપુર બીચ હર્ષદમંદિર જેવા સ્થળ માત્ર ચાલીસ કિલોમીટરની ત્રીજીયામાં છે મોકરસાગર પક્ષી અભયારણ્ય પોરબંદરમાં મધ્યમાં આવેલ પક્ષી અભયારણ્ય ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિમંદિર ભરતમંદિર તારા મંદિર જેવા સ્થળ પણ જોવા લાયક છે .
તો અહીં વિદેશથી આવતા પ્રવાસી ઉપરાંત સ્થાનિક NRI અન્ય રાજ્ય માંથી રાત્રી રોકાણ ત્યારેજ કરે કે જિલ્લામાં લિકારની પરમિશન આપવામાં આવે શહેરમાં ઘણી હોટલ આવેલ છે ચોપાટી ઉપર સુંદર લોર્ડ્સ હોટેલ અને સરકારી ટુરિસ્ટ બંગલો જેને હવે પબ્લિક પ્રાઇવેટ ભાગીદારી મારફત સરકાર ડેવલોપ કરવા જઈ રહી છે તો અહીં લિકારશોપ વાઇનશોપ નાઈટ કલબ ડિસ્કોથેક જેવી પરમિશન સરકાર દ્વારા આપવામાં આવે તો શહેર જિલ્લાની અર્થવ્યવસ્થા અને રોજગરમાં વૃદ્ધિ થશે અને જેનો ફાયદો જિલ્લાના નાગરિકોને મળશે એ સત્ય હકીકત છે સાથે સાથે સરકારને પણ મોટી આવક થશે અને અહીં અન્ય ફાઈવસ્ટાર હોટલ રેસ્ટોરેન્ટ ચેઇન પણ રોકાણ કરવા આકર્ષિત થશે કારણકે બરડા ડુંગર અને અહીંના બીચ વેડિંગ ડેસ્ટિનેશન પણ બની શકે છે.એટલે અમારી ઉપરોક્ત વસ્તુઓ ધ્યાને રાખી ગુજરાત અને પોરબંદરમાં દારૂબંદી બાબતમાં ધીરેધીરે હળવી છૂટછાટ આપી આંશિક રીતે ઉઠાવવાની પહેલ થવી જોઈએ , તેવી રજૂઆત પોરબંદરના નાગરીક રાજુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને કરી છે.
આ પણ વાંચો — GUJARAT POLICE : રાજ્યભરમાં ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 ASI પોલીસ જવાનોને PSI માં પ્રમોશન અપાયું