અમદાવાદમાં IPSની પત્નીનો આપઘાત
IPS આર.ટી.સુસરાની પત્નીનો આપઘાત
થલતેજના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાધો
પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી
અમદાવાદમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. અમદાવાદમાં રહેતા IPS ની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે.
IPS આર.ટી સુસરાની પત્નીનો આપઘાત
અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા નિવૃત્ત IPS આર.ટી સુસરાની પત્નીએ આત્મહત્યા કરી હોવાના સમાચારે પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે. જો કે તેમણે કેમ આત્મહત્યા કરી છે તે વિશે હજું પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ ચોક્કસ કારણ જાણવા મળી શકે છે.
આત્મહત્યાનું કારણ અકબંધ
આ પણ વાંચો—મોતની સિરપ : નશીલી સિરપ કેસની તપાસ માટે SIT ની રચના