આચાર્ય વિનોબાભાવેના સર્વોદય વિચારોથી પ્રેરણા લઇ આ ટ્રસ્ટના સ્થાપક અને મુખ્ય દાતા શ્રી કેશુભાઈ ગોટીએ 309 સરસ્વતીધામનું નિર્માણ કરવાનું મહાઅભિયાન આદર્યું છે . શ્રી કેશુભાઈએ અત્યાર સુધી ઘણાબધા રાજ્યોમા કુલ 175 સરસ્વતીધામનું નિર્માણ કર્યું છે જેમાં અંતરિયાળ વિસ્તારમા જ્યાં બાળકોને નિવાસ માટે પુરતી ભૌતિક સગવડો ના હોય તેવા વિસ્તારોમા તેમજ આદિવાસી બાળકો માટે છાત્રાલયના ભવનના નિર્માણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે .
અત્યાર સુધીમા 100 કરોડથી પણ વધુ ધનરાશી આ કામ માટે તેમણે એકલાએ વાપરી હશે પરંતુ ક્યાય પોતાનું નામ જોવા મળે નહી એટલા નિર્લેપ ભાવથી કામ કરી રહ્યા છે. આ ભવનના ખર્ચના 50 % તેમના તેમજ 50 % દાનના અન્ય દાતા હોય છે જેમના નામે ભવન બનતું હોય છે. આટલું મોટું દાન આપવા છતાં પોતાનું નામ ન કોતરાવે કેટલી મોટી વાત છે.
દરેક ભવનના લોકાર્પણ સમારોહમા મુખ્ય દાતા સહિત અન્ય ઘણા બધા મહેમાનોને અને સરકારી અધિકારીશ્રીઓને આમંત્રિત પણ કરે અને સાવ પછાત અને અંતરિયાળ ગામમાં ખુબ મોટો સમારોહ યોજાય શાળાના બાળકો સહીત ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત હોય.
આ પ્રસંગે તેમના ટ્રસ્ટ વતી કાર્યક્રમમા શુભચિંતક તરીકે એવા વ્યક્તિને ખાસ નિમંત્રિત કરે જેઓ સમાજના ઉત્કર્ષનું કાર્ય કરતા હોય અને એમનું વિશેષ સન્માન કરે. આ કાર્યક્રમમા તેમના ટ્રસ્ટના શુભચિંતક તરીકે મારે ઉપસ્થિત રહેવાનું સુઅવસર પ્રાપ્ત થયો હતો અને શાલ તથા ખુબ કલાત્મક કહી શકાય તેવું સુંદર સન્માન પત્ર અર્પણ કર્યું.
વર્ષો પહેલા પૂ.મોટાએ ગામે ગામ શાળાઓના ઓરડા બંધાવ્યા હતા .અમારી સંસ્થામા પણ ત્રણ જગ્યાએ હરી ઓમ આશ્રમ ,નડીયાદની તકતી હતી . એમના પછી આ બીજા ભામાશા જોવા મળ્યા જેઓ ગામે ગામ સરસ્વતી ધામનું નિર્માણ કરી રહ્યા છે.
આ પ્રસંગે શ્રી હસમુખભાઈ પટેલ સંવેદના ટ્રસ્ટ, શ્રી કેશુભાઈ ગોટી, મોટીવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ, શ્રી વાધાણી સાહેબ, નિયામક વિક્સતી જાતિ કલ્યાણ ખાતું, ગાંધીનગર, તેમજ સરસ્વતીધામના સહયોગી દાતા શ્રી અક્ષયભાઈ મહેતા જેઓ બેલ્જીયમમા હીરા ઉદ્યોગમાં છે વગેરે ઉપસ્થિત હતા.
આ પણ વાંચો : Breaking : રાજ્ય માં 70 IPS ની બદલીના આદેશ, GS મલિકને અમદાવાદના નવા CP બનાવાયા